SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ r “ આ ઉપરથી જોવાશે કે શબ્દ વ્યુત્પત્તિશાસ્ત્રના નિયમ મુજબ આચારાંગ સૂત્રના વિવાદગ્રસ્ત પામાંના મંસ અને મચ્છ શબ્દોના અર્થોં ‘માંસ’ અને ‘મત્સ્ય’જ છે. આ માંસાહારના નિષેધની સાથે આ અર્થની સંગતિ કરવી આકી રહે છે. કદાચ એમ માની લઇએ કે ઐતિહાસિક સમયમાં માંસાહારના જેટલે અ`શે નિષેધ કરાયા છે તેટલે અશે. એના નિષેધ પ્રાચીન સમયમાં નહિ હાય, તા પણુ એમ તે આપણે માની શકીએ તેમ નથી કે કાઇ પણ કાળે જૈન સાધુ એમ સ્પષ્ટપણે કહે કે હું માંસ અને મત્સ્ય લેવા તૈયાર છું. જો આપણે વિવાદગ્રસ્ત પાના અક્ષરશઃ અર્થ કરીએ તો આપણે આ નહિ માનવા જેવી વાત પણ સ્વીકારવી પડશે. આવી પરિસ્થિતિમાં હું પતંજલિકૃત મહાભાષ્ય ૪ અને ન્યાયસૂત્રના ઉપરની વાચસ્પતિકૃતતાત્પર્ય મીમાંસાનાપ આધારે નીચે મુજબ તાગ કાઢી શકું છું— “ પતંજલિ તેમજ એમના પછી એછામાં ઓછા ૯૦૦ વર્ષે થયેલા વાચસ્પતિએ, જેમાંને માટે ભાગ ત્યાજ્ય હાય એની સાથે નાન્તરીયકત્વ ભાવ ધારણ કરનારા પદાર્થ તરીકે મત્સ્યનું ઉદાહરણુ આપ્યું છે. કેમકે મત્સ્ય એવી વસ્તુ છે કે જેનું માંસ ખાઇ શકાય છે, પરંતુ એના કાંટા વગેરે ખાઈ શકાતા નથી. આચારાંગના વિવાદગ્રસ્ત પાઢમાં આ ઉદાહરણરૂપ પ્રયાગના ઉપયાગ કરાયેલ છે. એટલે કે મસ અને મચ્છતા અત્ર આલકારિક અર્થ કરવાના છે. આ પાઠનું નિરીક્ષણ કરતાં અહીં આ અર્થ કરવા વિશેષ અનુકૂલ જડ્ડાય છે, કેમકે બહુ અસ્થિવાળું માંસ તમે લેશે એમ ગૃહસ્થ સાધુને પૂછે છે ત્યારે તેઓ એમ કહે છે કે બહુ અસ્થિવાળું માંસ લેવુ મને કલ્યે નહિ. હવે જો ગૃહસ્થે ખરેખર માંસ આપવા માંડયું હાત તે સાધુ એમ જ કહેત કે એ મને નહિ. જો એ, કેમકે હુ માંસાહારી નથી, પરંતુ આમ ન કહેતાં તેઓ એમ કહે છે કે બહુ અસ્થિમય માંસ મને ખપે નહિ, જો તમારે મને આપવું હોય તેા મને બને એટલે અંશે પુગ્ગલ આપે, પરંતુ અસ્થિ નહિ. અહીં એ વાત તરફ્ ખાસ ધ્યાન ખેંચવું ઉચિત સમજાય છે કે ગૃહસ્થે આપવા માંડેલ વસ્તુના નિષેધ કરતાં સાધુ પ્રચલિત ઉદાહરણરૂપ થઈ પડેલ બહુ કૅટકમાં માંસના પ્રયાગ કરે છે ખરા, પરંતુ તે ભિક્ષા તરીકે શું ગ્રહણુ કરી શકે તે સૂચવતી વેળા આ આલંકારિક પ્રયાગ ન કરતા વસ્તુવાચકે પુગ્ગલ શબ્દના પ્રયોગ કરે છે. આમ ભિન્ન શબ્દ વાપરવાનું કારણ એ છે કે પ્રથમ પ્રયાગ આલંકારિક છે અને તે ગેરસમજ ઉત્પન્ન કરે તેવા છે એમ તેઓ જાણે છે. 46 આથી વિવાદગ્રસ્ત પાઠના અર્થ હું એ કરું છું કે જે પદાર્થોના થોડાક ભાગ ४. कश्चित् मांसार्थी मत्स्यान् सशकलान् सकण्टकान् आहरति नान्तरीयकत्वात् स यावदादेयं तावदादाय शकलकण्टकानि उत्सृजति । तस्मान्मांसार्थीव कण्टकान् उद्धृत्य मांसमश्नन्नानर्थं कण्टकजन्यमा Jain Education International frતીત્યેય પ્રેક્ષાવાન ગુપુર ચેન્દ્રિયાવિસાત સુર્ણ મોયતે .jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy