SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ [૪ર૦ ] શ્રી જિન સત્ય પ્રકાશ | [વર્ષ ૪ તેલેસ્યા મૂકી, અને મેં શીતલેસ્યા મૂકી તેને બચાવ્યા. તથા ગોશાલકના પૂછવાથી તેને તેલેસ્યાની વિધિ પણ જણાવી. હે ગૌતમ! એકદા મંખલિપુત્ર ગોશાલકની સાથે કુર્મગ્રામથી સિદ્ધાર્થગામ તરફ મેં વિહાર કર્યો. રસ્તામાં પેલું તલના છોડવાળું સ્થાન આવ્યું. ગોશાલકે પૂર્વની વાતને તાજી કરી. યાવતુ તપાસ કરતાં મારા કહેવા પ્રમાણે નીકળ્યું. આ સમયે ગોશાલકે પરિવર્તવાદને સ્વીકાર્યો અને મારાથી જુદા પડે. જુદા પડયા બાદ શાલકે તેજલેશ્યા સાધી. એકદા ગોશાલકને છ દિશાચરે મળ્યા...યાવત્ આ શ્રાવસ્તીમાં આવીને અજિન છતાં જિન કહેવરાવી રહ્યો છે, પરંતુ હે ગૌતમ! તે વાત મિથ્યા છે. આ રીતે પરમાત્મા મહાવીરે ગૌતમ મહારાજને ગોશાલકનું જન્મથી આરંભી ચરિત્ર કહી સંભળાવ્યું. ગોશાલકનું આ ચરિત્ર નગરમાં ચર્ચાતાં, તે બીના ગોશાલકના કાન પર આવી. પ્રચર્ડ કોપાનલે તેને ઘેરી લીધા. તે આતાપન ભૂમિથી હાલાહાલા કુંભારણને ત્યાં આવ્યો અને આજીવિક સમુદાય પણ ત્યાં એકત્રિત થયો. આ અવસરે ગોચ રીને માટે નીકળેલા પ્રભુ મહાવીરના શિષ્ય આનન્દ નામના અણગાર, નજીકમાંથી ચાલ્યા જતા હતા. ગોશાલકે તેમને બોલાવી, ચાર વણિકનું દષ્ટાંત આપી ધમકી આપતાં કહ્યું કે, “હે આનન્દ! તારા ધર્માચાર્યને આ હકીકત જણાવ.” આનંદ મુનિવરે શીધ્ર આવીને પ્રભુ મહાવીરને સઘળું નિવેદિત કર્યું. અને પૂછ્યું કે ભગવન્! ગે શાલક તપતેજથી બાળવા સમર્થ છે? ત્યારે પ્રભુએ જણાવ્યું કે, “હે આનન્દ! ગોશાલક તપતેજથી બાળવા સમર્થ છે, પરંતુ તેનું સામર્થ્ય તીર્થકર ભગવંતો પાસે ચાલી શકતું નથી, કારણકે તેઓ તેના કરતાં અનન્તગુણ વિશિષ્ટ તપવાળા હોય છે, અને ક્ષમાના ભંડાર હોય છે. હે આનન્દ, તમે જઇને ગૌતમાદિ મુનિવરને ખબર આપે કે ગોશાલક શ્રમણ નિગ્રંથ પ્રત્યે વિપરિણામવાળો થયો છે માટે કોઈએ તેની સાથે ચર્ચા કરવી નહિ. આનન્દ મુનિવરે જઈને કહ્યું. એટલામાં તે ગોશાલક પોતે જ આજીવિક સમુદાય સાથે પ્રભુ મહાવીર પાસે આવ્યો. અને પરમાત્મા મહાવીરને કહેવા લાગ્યો કે-હે આયુષ્મન, કાશ્યપ, તમે મને તમારા શિષ્ય સંખલિપુત્ર ગશાલક તરીકે જાહેર કર્યો, તે બહુ સારું કર્યું છે. પરંતુ ધ્યાન રાખજો કે તમારે શિષ્ય જે ગોશાલક હતું તે તે મરીને દેવલોકમાં ઉત્પન્ન થયું છે, અને તેનું શરીર ઘણું સારું જાણું મેં તેમાં પ્રવેશ કર્યો છે, માટે હું તે અન્ય જ છું.” આ સાંભળી પરમાત્મા મહાવીરે કહ્યું ” હે ગોશાલક, જેમ કોઈ ચેર, પકડવા પાછળ પડેલા માણસેથી બચવા ગુપ્ત સ્થાન ગોતે, અને તે ન મળે આંગળી યા તરખલું આડું રાખી પિતાને ટંકાએલ માને તેવી સ્થિતિ તે કરી છે. પરંતુ આમ કરવું તને ઉચિત નથી. તું તે જ ગોશાલક છો” આ સાંભળતાં જ ગોશાલકનો કોપાલ ફાટી નીકળે, અને અતિ તુચ્છ શબ્દોમાં ભગવાન મહાવીરનું અપમાન કરવા લાગ્યા. પ્રભુ મહાવીરનું ખોટી રીતે અપમાન થતું જાણુ ભક્તિરસથી પ્રેરાઈ ક્રમશઃ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિવરે કહ્યું કે-ભલા-ગોશાલક! જેની પાસેથી એક પણ ધાર્મિક વચન શિખ્યા હેઈએ તેનું કેટલું બહુમાન સાચવવું જોઇએ, તેને બદલે જે ભગવાન મહાવીરે તને - Jain Educatioડીક્ષા આપી છે, સુંદર શિખામણ આપી છેer યાવત્ બહુશ્રત કર્યો છે તેમને માટે આelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy