SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૪) શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૪ હારમાં પણ એવા ઘણું શબ્દ છે કે જેના જુદા જુદા અર્થો થાય છે. “રાવણ " દશાનનનું નામ છે, તેમ “નંદુક” ફળનું પણ નામ છે. “પતંગ' ચાર ઈન્દ્રિયવાળા જીવનું નામ છે અને “મહુડા 'નું પણ નામ છે. “તાપસપ્રિયા' તાપસની સ્ત્રીનું નામ છે, તેમ “કાક્ષા નું પણ નામ છે. “કચ્છપ” એ કાચબાનું નામ છે, તેમ “નંદિત્રીણિ' વૃક્ષનું પણ નામ છે. “ જી” ગાયની જીભનું નામ છે, તેમ ગોબી'નું પણ નામ છે. માંસલ” અતિપુષ્ટનું નામ છે, તેમ “કાલીંગડા'નું પણ નામ છે. “બી ” સર્ષવિશેષનું નામ છે, તેમ “કંરી” નામના શાકનું પણું નામ છે. “ચતુષ્પદી” ચાર પગવાળાને કહે છે, તેમ “ભીડા'નું પણ નામ છે. આ બધા શબ્દો એવા વિચિત્ર છે કે ઉપલક દૃષ્ટિએ જોતાં ઘણા માણસે અર્થને અનર્થ કરી નાખે, પરંતુ પ્રસંગ અને પરિસ્થિતિઓને ખ્યાલ કરીને જ શબ્દોના અર્થો કરવા જોઈએ. ભિન્ન ભિન્ન પ્રાંતની ભાષાઓમાં પણ એવા શબ્દો ભરાએલા છે કે એક જ શબ્દ એક દેશમાં એક અર્થમાં વપરાય છે, તે તે જ શબ્દ બીજા દેશમાં બીજા અર્થમાં વપરાય છે. પંજાબને કોઈ વાણિયો ગુજરાતમાં આવીને એમ કહે કે “હમ લેગ કુકડી બહુત ખાતે હૈ,' તે ગુજરાતને વાણિયો ઠંડો જ થઈ જાય. એને શી ખબર કે પંજાબમાં મકાઈને કુકડી કહેતા હશે? ગુજરાતને વાણિયો માળવામાં જઈને કોઈ ચણાના ખેતરમાં ઉભેલી બાઈને કહે કે “બાઈ બે આનાના પાપટા આપ' તે તે વાણિયે પેલી બાઈની પાસેથી પોપટાના બદલે પાંચ પાંચ શેરની ગાળો જ મેળવે છે. એને શી ખબર કે માળવામાં પોપટા શબ્દ કેઈ બિભત્સ--ખરાબ અર્થમાં વપરાતા હશે. પચ્ચીસ સે વર્ષ ઉપર મગધ દેશમાં ભગવાન મહાવીરના મુખથી ઉચ્ચરાએલા શબ્દો અથવા તે દેશમાં હજારો વર્ષ ઉપર તે દેશની ભાષામાં લખાએલાં સૂત્રોને આપણે અત્યારની ભાષામાં વપરાતા શબ્દ તરીકે અર્થ કરીએ એ કયાં સુધી બંધબેસતું થાય એ બહુ વિચારવા જેવું છે. એ સૂત્રોના અર્થ કરતી વખતે આપણે ઘણું બાબતેને ખ્યાલ રાખવો ઘટે છે. મન, વચન, કાયાથી અહિંસાનું સંપૂર્ણ પાલન કરનાર અને જગતને તેને સંદેશ સંભળાવનાર ભગવાન મહાવીર પિતાને માટે જાનવરનું માંસ મંગાવે એ કલ્પનામાં આવી શકે ખરું? શ્રીયુત પટેલ આગળ જતાં પોતાના લેખમાં હિંસા વિના સાધુનું જીવન પણ ટકી શકે નહિ એમ બતાવી છ કાયના છ પૈકી અમુક કાયના જીવોની હિંસા સાધુઓથી પણ થવાની જ એમ પતિપાદન કરે છે, પરંતુ તેઓ પોતે જ ચોથા પ્રકરણના ચાથા પેરેગ્રાફમાં એ વાત કબુલ કરે છે કે – “મહાવીરસ્વામીએ આ સ્થળે વિચાર્યું કે ગૃહજીવનને સદંતર ત્યાગ કરી માત્ર ભિક્ષા ચર્ચાથી જીવવામાં આવે, તે જ ઓછામાં ઓછી પ્રવૃત્તિ અને તે દ્વારા ઓછામાં Jain Education international www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy