SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન્ મહાવીર અને માંસાહાર લેખક–મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, કરાચી આ લેખ અમે “પ્રસ્થાન ના વ્યવસ્થાપક ઉપર “પ્રસ્થાન માં પ્રગટ કરવા માટે મળ્યો હતો. થોડા દિવસ બાદ એ લેખ તેમણે, એને પોતાના પત્રમાં છાપવાનો ઇન્કાર સાથે, અમને પાછો મોભે છે. જિજ્ઞાસુઓની જાણ માટે અમે એ લેખને અહીં અક્ષરશઃ પ્રસિદ્ધ કરીએ છીએ. વ્યવસ્થાપક કોઈ પણ વૃક્ષનું મૂળ જેટલું મજબૂત અને ઊંડું હોય છે, તેટલી જ તે વૃક્ષની શક્તિ, તેનું આયુષ્ય અને તેને ફેલાવો વધારે હોય છે. સિદ્ધાન્તની દઢતા એ સિદ્ધાતેના પ્રતિપાદક કિંવા ઉત્પાદકની મન-વચન-કાયાની ઓતપ્રેતતા ઉપર વધારે આધાર રાખે છે. અહિંસા કે દયાનું નામ લેતાં “જૈનધર્મની આ મુખ્ય વસ્તુ છે, એમ કોઈ પણ અભ્યાસક પકાર્યા વિના ન રહે. ભગવાન મહાવીર અને બુદ્ધ એ બન્નેએ આજથી પચીસ સે વર્ષ ઉપર અહિંસાને સંદેશ જગતને સંભળાવ્યો હતો અને એ બે મહાપુરુષને સર્દેશ આજે પણ તેમના અનુયાયિઓ દ્વારા જગતું સાંભળી અને ઝીલી રહ્યું છે. છતાં બુદ્ધના અનુયાયિઓમાં એ સિદ્ધાન્તનું પાલન ઘણે ભાગે નથી થઈ રહ્યું, એ સે કોઈ જુએ છે. જ્યારે સાધુઓમાં તે શું ગૃહસ્થામાં પણ મહાવીરના અહિંસા અને દયાના સિદ્ધાંતનું પાલન અત્યારે પણ થઈ રહ્યું છે, એનું કંઈક તે કારણ હેવું જોઈએ. સિદ્ધાન્તની પ્રરૂપણ એક વસ્તુ છે અને પાલન બીજી વસ્તુ છે. ઉપદેશક પ્રરૂપતા સિદ્ધાન્તોનું સ્વયં આચરણ જે નથી કરતો, તો તેની અસર જનતા ઉપર નથી થતી. અહિંસાનો સિદ્ધાન્ત પ્રકાશવા છતાં બુદ્ધ ભગવાને પોતે માંસાહાર કર્યો છે, એ જ કારણ, હું તો જોઉં છું કે તેમના પિતાના સમયમાં અને તે પછીના સમયમાં, ઠેઠ અત્યાર સુધી પણ તેમના અનુયાયિઓમાં મોટે ભાગે માંસાહાર પ્રચલિત રહ્યો છે. જ્યારે ભગવાન મહાવીરે અહિંસાને જે સદેશ સંભળાવ્યો તે પિતાના આચરણમાં ઉતારીને જ સંભળાવ્યો હતો અર્થાત કદર રીતે તેમણે તેનું પાલન કર્યું હતું. આ જ કારણ છે કે જૈનધર્મના અનુયાયિઓમાં અત્યાર સુધી માંસાહાર સર્વથા ત્યાજ્ય ગણાતે આવ્યા છે. હમણાં હમણું “જૈન સૂત્રમાં પણ માંસાહારનું વિધાન છે,” અને “ભગવાન મહાવીર તથા તેમના તે વખતના સાધુઓ માંસાહાર લેતા હતા,” એવું કઈ કઈ લેખકો તરફથી બહાર પડતું વાંચવામાં આવે છે. મને લાગે છે કે ચાલુ લોકમાન્યતાની વિરુદ્ધમાં કંઈ પણ કહેવું, લખવું કે પ્રવૃત્તિ કરવી એ આ જમાનાની એક ફેશન સમજાય છે. પરંતુ એમાં એટલું યાદ રાખવાની જરૂર છે-કે તેમ કરવાથી કંઈ પણ For Private & Personal Use Only in Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy