SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ એક ] માંસાહારને પ્રશ્ન [ ૨૭૫] - નાશ કરનારું છે. વળી શલ અજીર્ણ બધેકોશ અગ્નિમાંધ કફ વાયુ અરૂચિમાં તેનો (બીરાનો) રસ વિશેષે કરીને ઉપદેશાય છે. આ પ્રકરણ વાંચનાર દરેક વિચારકને સ્પષ્ટ માલુમ પડશે કે બાલકૂષ્માંડ (કોળું) સામાન્ય રીતે પિત્તનાશક હોવાથી રેવતી શ્રાવિકા, ભગવાન મહાવીર માટે ઔષધ તરીકે તૈયાર કરે પણ બીજેરૂં પિત્તની સાથે વાયુને પણ હરનાર હેઈ શ્રી મહાવીરસ્વામી નિરવઘતાને કારણે એ જ મંગાવે તે જ સંગત છે. વળી ઉપર શ્લોક ૧૫૦ માં “માંa 'શબ્દ સુકૃત મહષિએ કુલગર્ભના અર્થમાં વાપરેલો સ્પષ્ટ દેખાય છે આથી એ વાત વાચકના ધ્યાનમાં ખૂબ રહેવી જોઈએ કે પૂર્વે માંસશબ્દ ફલગર્ભના અર્થમાં પુષ્કળ વપરાતે અને વનસ્પત્યાહારના વિષયમાં “માંસ મુજા ” ઈત્યાદિ પાઠ મૂકવામાં સંદિગ્ધતા ન રહેતી. વળી સુશ્રુતમાં કુકર્ટનું વર્ણન કરતાં તેને ઉષ્ણવીર્ય તરીકે વર્ણવેલ છે કે જે પિત્તજ્વર વગેરે દાહક વ્યાધિ ઉપર તેનો ઉપયોગ કરવામાં આવે તે તે વ્યાધિનું શમન કરવાને બદલે ઉલટું વિકાર વૃદ્ધિમાં કારણભૂત થાય માટે પિત્તના શમન માટે વૈદ્યક દૃષ્ટિએ વિચાર કરતાં પણ માંસ અર્થ કદી પણ સંગત ન થાય અને વનસ્પતિવાળા અર્થો સર્જાશે સંગત થાય છે. [૫] વાત, પિત્ત અને કફ એમ ત્રિપ્રકૃતિ અને સપ્તધાતુથી બંધાયેલ ભગવાન મહાવીરના શરીરમાં દેવસ્વભાવ જન્ય વ્યાધિઓ વૈદ ઉપાયોથી નાશ પામે તે જ વાત સર્વ સુઝને માન્ય થઈ શકે. માટે જ ચારિત્ર અંગીકાર કર્યા પછીના ભગવાન મહાવીરના અનેક ઉપસર્ગોમાંના એક કર્ણકીલક (કાનમાં ખીલા) નામના ઉપસર્ગના પ્રસંગે શ્રી મહાવીરને કર્ણમાં મહાપીડા હતી ત્યારે વૈદ્યને ત્યાં આહાર માટે જતાં વૈદ્યને તે મહાપુરુષને કંઈક પીડા છે એવું જ્ઞાન થયું, અને તેના નિવારણ માટે તે શ્રીવીરની પાછળ પાછળ ફરવા લાગ્યો અને ભગવાન સ્થિર થયે છતે કીલકાકર્ષણ કર્યા બાદ રોહિણું ઔષધી વડે તે ઘણુ રૂઝવી નાખે, એ વૃત્તાન્ત જૈન આગમાં પ્રસિદ્ધ છે. [૬] યુકિતવાદના સમયમાં ભગવાન મહાવીરે એક વખત ઔષધના કારણે પણ માંસને આહાર તરીકે ઉપયોગ કર્યો હતો તે વિચાર બુદ્ધિને ગ્રાહ્ય ન થઈ શકે, કારણકે નાયકની પ્રવૃત્તિ ઉપર તેના અનુયાયિઓની પ્રવૃત્તિનો આધાર છે. એ જ વિચારને કારણે ભગવાન મહાવીરે એક વખત સુધા અને તૃષાર્ત મુનિઓને ગૃષ્ઠાની અપૂર્વ ગરમીથી અચિત્ત અને નિર્જીવ તલ અને જલને વેગ હેવા છતાં નિષેધ કર્યો હતો. અને બુધે પિતાના જીવનમાં એક વખત માંસ-ભક્ષણ કરેલ તેને પરિણામે આજ પણ બૌદ્ધાનુયાયિઓમાં માંસાહારની પ્રચુરતા દેખાય છે અને મહાવીરના અનુયાયિઓમાં માંસભક્ષણ પ્રત્યે તેટલી જ છૂણ દેખાય છે. એ પ્રમાણે કાર્ય ઉપર પણ કારણનું અનુમાન થઈ શકે છે કે મનુષ્ય સ્વભાવના વેરા ભગવાન મહાવીર એક પણ વખત માંસ ભક્ષણ કરી જગતને માંસાહારને માર્ગ ખુલ્લે કરી આપે નહિ. કપડવણજ Education Interna૧૯૯૫, માર્ગશીર્ષ, અમાવાસ્યા . For Private & Personal Use Only www.jainelibrary or
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy