SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ અફક ] જરાઢનગરીના પ્રાચીન શિલાલેખ [ ૩૪૭ ] અહિંસાનાં ફરમાનો માટે પહેલું લખાયું છે. હીરસૌભાગ્યકાવ્ય, જગદ્ગુરૂકાવ્ય વિજયપ્રશસ્તિ આદિમાં લખાયું છે કે સમ્રાટ અકબરે સુરિજી મહારાજને પ્રથમ મુલાકાતેજ પ્રભાવિત થઈ પોતાની પાસે રહેલ પુસ્તકને ભંડાર આપ્યા હતા. આ શિલાલેખમાં પણ એ જ વસ્તુનું સૂચન છે. અર્થાત્ ઉપયુકત પુસ્તકામાં લખાયેલી વિગતે સંપૂર્ણ વિશ્વસનીય અને પ્રામાણિક છે. બાદશાહ કેટલા દેશના ઉપરી હતા એ પણ લખ્યુ છે. કાશ્મીર, કામરૂપ, મુલતાન, કામિલ ( કાબુલ) અકસા, ઢિલ્લી ( દિલ્હીપ્રાંત ) ભરૂસ્થલી ( મારવાડ ) ગુર્જરત્રા (ગુજરાત) માલવ. (માલવા) આદિ ષનેક દેશ તેમજ ચૌદ છત્રપતિ-મહારાજાએ જેની સેવા કરતા. અર્થાત અકબર મહાપ્રતાપી સમ્રાટ્ બાદશાહ હતા. ૯ સૂરિજી મહારાજ કેવા પ્રાભાવિક હતા તે અહીના વિશેષાથી બરાબર સમજાય છે. પ્રશાન્ત–નિસ્પૃહી,...સ’વિગ્ન-પરમત્યાગી; યુગપ્રધાન આદિ ગુણાવડે શ્રી વજ્રસ્વામિ જેવા પ્રતાપી હતા.૧ છેલ્લે મહેાપાધ્યાય શ્રી કલ્યાણુવિજયજી મહારાજના શકિત-પ્રભાવ, અદ્ભૂત વકતૃતા, પાંડિત્ય અને ઉજ્જવલ ચારિત્ર આદિચુણાનું વર્ણન છે. આ પ્રશસ્તિના કર્તા ૫. લાવિજયજી ગણિ, લેખક ૫. સામકુશલ ગણુ અને પથ્થર પર ખેાદનાર છે ભઇરવપુત્ર મસરક ભગત. આ મંદિરની પ્રતિષ્ઠા કરાવનાર જો કે મહેાપાધ્યાયજી શ્રી ક્લ્યાણુવિજયજી હતા, પણ તેમણે જગદ્ગુરૂજી મહારાજની આજ્ઞાનુસાર પ્રતિષ્ઠા કરાવી હતી માટે પેાતાનું સ્વતંત્ર નામ ન રાખતાં મુખ્યતા ગુરૂજીની જ રાખી છે. આવી રીતે અનેક ઐતિહાસિક વિગતાથી ભરેલા આ લેખ છે. સંક્ષેપમાં નીચે મુજબ છે. તે સમયને બીજો એક લેખ મળ્યા છે, જેને ભાવા ભાવાર્થ – સર્વવત ૧૬૪૪માં શ્રીમાલવશીય રામ્યાણુ ગાત્રના સધપતિ ભારમલજીના પુત્ર ધાસીદાસે પોતાના કુટુંબ સહિત શ્રી ......... અંજનશલાકા કરાવી. પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય નાગપુરીય તપાગચ્છના શ્રી હકીર્તિસૂરિ અને અમરકીર્તિસૂરિ વગેરે છે. આમાં જે કુટુમ્બનો ઉલ્લેખ છે તે જોતાં સપતિ ઇન્દ્રરાજ અને બાસીદાસ અન્ને ભાઇઓ જ છે. ધાસીદાસ એનું પ્રસિદ્ધ નામ લાગે છે. જ્યારે પ્રથમના શિલાલેખમાં તેમનું નામ સ. સ્વામિદાસ છે. તેમના બે પુત્રામાં અહીં જીવન અને ચતુર્ભુ જ નામ છે જ્યારે પ્રથમના શિલાલેખમાં જગજીવન અને ચતુર્ભુજ નામ છે. એટલે સ. શ્વાસીદાસનું બીજું નામ સ્વામિદાસ જ છે. જે દિવસે મહાપાધ્યાયજી શ્રી કલ્યાણવિજયજીએ પ્રતિષ્ઠા કરાવી તે જ દિવસે અને તે જ સમયે ઈંદ્રરાજના બીજા બે ભાઈ–અજયરાજ અને ધાસીદાસે પણ્ મદિરે ૧ જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ મહાત્યાગી-પરમસ વેઞી-નિસ્પૃહી– અને પ્રશાંતાત્મા હતા. એ મહાપુરૂષે ૩૬૦૦ ઉપવાસ, ૨૨૫ ૭, ૭૨ અઠ્ઠમ, ૨૦૦૦ હજાર આયંબીલ, ૨૦૦૦ હજાર નવી આદિ મહાન તપસ્યા કરી હતી, અર્થાત્ તપસ્વી જીવન વ્યતીત યુ હતુ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy