________________
અંક ૫]
યાપાડામાં પ્રતિષ્ઠા
[
૫]
=
=
ઊ ચા પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરવામાં આવતી હતી અને તે ચલ પ્રતિમા તરીકે પૂજાતી હતી.
(૫) સ્ફટિકમય મૂર્તિ ઉપર શિલાલેખ કેતર અશકય હોવાથી તેને બધો ઈતિહાસ ભવિષ્યની પ્રજા માટે જળવાઈ રહે તે શુભ આશયથી એ મૂતિને લગતી બધી વિગત એ પિત્તલમય પરિકરની પાછળ લેખ રૂપે લખવામાં આવેલ છે. (આ વિશેષતા ખરેખર અદ્વિતીય છે.) આ સ્ફટિકમય મૂતિને લગતા લેખ પિત્તલમય પરિકર ઉપર અક્ષરશઃ આ પ્રમાણે છે–
___संवत् १४९६ वर्षे ज्येष्ठ शुदि १० बुधे श्रीपत्तननगरवास्तव्य श्री श्रीमालज्ञातीय व्य. कर्मसिंह भार्या गोई सुत व्य. मालदे भार्या कामलदे सुत व्य. गोविन्देन भार्या गंगादे सुत हरिचन्द देवचन्द भ्रातृज उदयराज भ्रातृ. व्य. केल्हा हीरा वोरा पाता भ्रातृज भोला दत्ता मांडण माणिक विजा गजादि सुकुटुम्बयुतेन स्वश्रेयसे श्रीचन्द्रप्रभस्वामिस्फटिकरत्नबिम्ब पित्तलापरिकरविराजितं कारितं । प्रतिष्ठितं च श्री तपागच्छनायक श्रीदेवसुन्दरसरिपद्देश युगप्रवर श्रीसोमसुन्दरसूरिभिः । श्रीः ।
આ આખો લેખ પડિમાત્રામાં લખાયેલ છે અને પાંચ વર્ષને ગાળે વિત્યા છતાં તેને એક પણ અક્ષર ખંડિત થયો નથી.
આ લેખને સાર એ છે કે પાટણના રહેવાસી અને શ્રીમાલ જાતિના શેઠ કમસિંહના પુત્ર શેઠ માલદેના પુત્ર શેઠ ગોવિંદે પોતાના કુટુંબપરિવાર સાથે સંવત્ ૧૪૯૬ના જેઠ સુદિ ૧૦ ને બુધવારે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું સ્ફટિકરત્નનું બિંબ પિત્તલમય પરિકરમાં બિરાજમાન કર્યું, અને તેની પ્રતિષ્ઠા શ્રીદેવસુંદરસૂરિજીના પટ્ટધર શ્રી સોમસુંદરસૂરિજીએ કરી.
જિનબિંબ સ્ફટિકનું હોય અને તેને ધાતુમય પરિકરમાં બિરાજમાન કરીને તેને સંપૂર્ણ ઈતિહાસ એ પરિકરમાં સુરક્ષિત કર્યો હોય એવો કદાચ આ પહેલા જ દાખલ હશે.
આ લેખમાંના ઉત્તરસ્ત્રાપુર વિનિત નિત શબ્દો ઉપરથી એવું પણ અનુમાન કાઢી શકાય કે એ સ્ફટિકમય શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ૧૪૯૬ની સાલથી પણ પુરાતન હોય અને કોઈ પણ જાતના પરિકર વગરનું હોય, અને તે સુરક્ષિત રહે એ આશયથી તેને એ પિત્તલમય પરિકરમાં પધરાવવામાં આવ્યું હોય.
આ મૂતિ અંગેની આ વિશેષતા જેવી જ બીજી પણ એક વિશેષતા મળી આવી છે જે અહીં બેંધવી જરૂરી છે.
પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરેલી આ પ્રતિમા, આ દેરાસરને Jain Education દ્વાર કર્યા પહેલાં, જે ગાદી ઉપર બિરાજમાન હતી તે ગાદી જ્યારે
www.jainelibrary.org