SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ [ વર્ષ ૪ શ્રી જન સત્ય પ્રકાશ [૧૪] જ્ઞાનને પ્રકાશ પામી શકાય છે. તે માટે તે દેશઘાતી કહેવાય છે. જ્યારે કેવલજ્ઞાનાવરણીય જોરશોરથી આવરણ કરનાર હેવાથી તે સર્વઘાતી કહેવાય છે. સના ન્તરાય આદિ આ પાંચ પ્રકૃત્તિઓ પણ એટલું જોર નથી કરતી તેથી જ તેના સત્ત્વમાં પણ અમુક અંશે દાન, લાભ આદિ મેળવી શકાય છે. તે માટે તે દેશવાતિ છે. ચક્ષુદર્શનાવરણીય, અચસુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય અને કેવલદર્શનાવરણીય, એ ચાર તથા નિદ્ર, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનદ્ધિ, એ પાંચ એમ દર્શનાવરણીયની નવ પ્રવૃત્તિઓ, આત્માના સામાન્ય ઉપયોગને પણ રોકનારી હે પાપ પ્રકૃત્તિઓ છે. એમ પાપના ઓગણીસ ભેદ થયા તેમાં ચક્ષુ, અચકું, અવધિદર્શનાવરણીય દેશઘાતિ છે. જ્યારે કેવલદર્શનાવરણીય સર્વઘાતી છે. તેમનાં અનુક્રમે આ પ્રમાણે લક્ષણે છે – इन्द्रियानिद्रियजन्याभिलापनिरपेक्षबोधाऽऽवरणकारण कर्म मतिझानावरणम् । શબ્દ નિરપેક્ષ પાંચ ઇન્દ્રિો અને છઠ્ઠા મનથી પેદા થનાર બેધને રોકનાર કર્મ મતિજ્ઞાનાવરણીય કહેવાય છે. અમિલાપ નિરપેક્ષ એવું જે બોધને વિશેષણ ન અપાય તે લક્ષણ. શ્રતનાનાવરણીયમાં ચાલ્યું જાય છે. કારણ કે તે પણ ઇન્દ્રિયનિન્દ્રા જન્ય બોધને આવરણ કરનાર છે. પરંતુ અભિલાષ એટલે શબ્દનિરપેક્ષ નથી. शब्दसंस्पृष्टार्थग्रहणावरणकारणं कर्म श्रुतज्ञानम् ।। શબ્દ-વર્ણ દ્વારા વાચ્ય વાચક ભાવના વિચારથી ઉત્પન્ન થતું ગાન કૃતજ્ઞાન છે. અને તેને રોકનાર કર્મ શ્રુતજ્ઞાનાવરણીય કહેવાય છે. इन्द्रियानिन्द्रयनिरपेक्षमूर्तद्रव्यविषयकप्रत्यक्षज्ञानावरणनिदानं कर्म अवधिज्ञानावरणम् । પાંચ ઈન્દ્રિયો અને મનની અપેક્ષા વગર રૂપી દ્રવ્યને વિષય કરનાર, પ્રત્યક્ષ જ્ઞાનને રોકનાર કર્મને અવધિજ્ઞાનાવરણ કહ્યું છે. રૂપી દ્રવ્યને વિષય કરનાર મતિજ્ઞાન પણ છે. તેના આવારકમાં લક્ષણ ન ચાલ્યું જાય તે માટે લક્ષણમાં ઈન્દ્રિયાનિન્દ્રિયનિરપેક્ષ એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. કેવલજ્ઞાનાવરણયમાં લક્ષણ ન ચાલ્યું જાય, માટે મૂર્ત દ્રવ્યથી માત્ર મૂર્ત દ્રવ્ય સમજવું. કેવલજ્ઞાન માત્ર મૂર્ત દ્રવ્યને વિષય નથી કરતું, કિન્તુ મૂતમૂર્તને વિષય કરે છે. અહિં માત્ર શબ્દ સકલાર્થ વાચી લેવાથી મન:પર્યાવજ્ઞાનાવરણયમાં પણ લક્ષણ જઈ શકતું નથી. इन्द्रियानिन्द्रयनिरपेक्षसज्ञिपश्चेन्द्रियमनोगतभावज्ञापकात्मप्रत्यक्षज्ञानाऽऽवरणसाधनं कर्म मनःपर्यवाऽऽवरणम्।। ઈન્દ્રિય અનિંદ્રિય નિરપેક્ષ, સંસિ પંચેન્દ્રિયના મને ગત ભાવને જણાવનાર પ્રત્યક્ષ જ્ઞાનના આવરણના હેતુરૂપ કર્મ અને પર્યાવજ્ઞાનાવરણ કહેવાય છે. અહિં પણ સંસિ પંચેન્દ્રિય ભાવમાત્ર એમ માત્ર પદ સમજવું. નહિ તે આ Jain Education લક્ષણ કેવલજ્ઞાનાવરણીયમાં અતિવ્યાપ્ત થઈ જાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy