SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસનમાં ઈતિહાસ અને આગમ પ્રમાણનું સ્થાન લેખક શ્રી સર્વજ્ઞશાસનરસિકપાસક (ગતાંકથી ચાલુ) કીતિની ભૂખ પરલોકને નહિ જેનાર કે નહિ માનનાર આત્માને જેમ વિષયની ભૂખ હેાય છે તેમ કીર્તિની પણ તેટલી જ ભૂખ હોય છે. એ કીર્તિની ભૂખ ભાંગવા ખાતર, અન્ય રીતિએ કીર્તિ મેળવવા માટે સર્વથા અસમર્થ નિવડેલા, વર્તમાનના માનવીઓને ઈતિહાસ અને શિલાલેખો એ એક રીતિએ ઘેબરના ભજનની ગરજ સારે તેમ છે. ભવિષ્યની પ્રજાને પ્રેરણું પામવા લાયક કોઈ પણ જાતિનાં તેવાં મહત કા જીવનમાં ન થયાં હોય તો પણ પિતાનું જીવન બીજા કેઈ ન લખે તો છેવટ પિતાના હાથે લખીને પણ ભવિષ્યમાં ઐતિહાસિક પુરૂષ બનવાના કોડ પૂરા કરવા એવી ઈચ્છા આજે ઘણુઓને થઈ છે. પરલોકને નહિ જોઈ શકનાર અને કેવળ આ લેક જેટલી જ દુનિયા છે એમ માનનારને એવા કોડ ઉત્પન્ન ન થાય એ કદી બનતું નથી. એવી જ વૃત્તિના મનુષ્યોની એક કહેવત છે કે-નામ રહે કાં ગીતડે કે કાંતે ભીતડે', અર્થાત્ જેને પિતાનું નામ આ લેકમાં અમર કરવું હોય તેઓ માટે માત્ર બે જ માર્ગ છે એક તે પિતાના નામના ગીતડાં પુસ્તકમાં ગુંથાવવાં અથવા તેને ભીંતેમાં લખાવવાં. જેટલા પ્રમાણમાં તે બે કાર્યો અધિક થઈ શકે તેટલા પ્રમાણમાં તે નામ અધિક સમય સુધી આ દુનિયામાં ટકી શકે છે. જેઓએ તે બેમાંથી એક પણ કાર્ય ન કર્યું તેઓ જીવતાં ગમે તેટલા મહાન હેય પણ જીવન બાદ તેઓને કઈ યાદ કરવાનું નથી. પિતાની હયાતિબાદ આ લોકમાં પોતાના નામને અમર બનાવવાનો આ એક જ ઉપાય છે અને એવા જ કોઈ કારણે આજના કેટલાક ભણેલાઓમાં ઐતિહાસિક પ્રમાણને નાદ ખૂબ જ વધતો જતે હોય તે ના કહી શકાય તેમ નથી. એ નાદને જન્મ સત્યના પ્યારમાંથી નથી, કિન્તુ પિતાનું નામ અમર કરવાના પ્યારમાંથી થયેલો છે. નાસ્તિકતાના વાયુને પ્રચાર આ જમાનામાં જોરદાર છે અને એમાંથી પરલેકને બિલકુલ નહિ માનવા જેવી વૃત્તિ લગભગ સર્વત્ર ઉભેલી છે. એવી પરિસ્થિતિમાં આગમ પ્રમાણ કરતાં ઐતિહાસિક પ્રમાણ વધારે સુખાળુ અને રૂચિકર નિવડે એ સહજ છે. શાસનની અસેવા પરન્તુ એ રીતીએ થયેલો ઐતિહાસિક દૃષ્ટિને વિકાસ એ આગમ પ્રમાણુ જેવા સર્વોત્તમ મહાપ્રમાણ ઉપર આડકતરી રીતિએ કુઠારાઘાત કરનારે છે, એ ભૂલવું જોઈતું નથી. એતિહાસિક દષ્ટિના નામે સર્વોત્તમ આગમ પ્રમાણુ પ્રત્યે લેકે મંદ આદર કે અનાદરવાળા બની જાય તે લાભને બદલે હાનિ ઘણી છે. તુચ્છ વ્યકિતઓને ભવિષ્યમાં મહાન બનવાના કોડ પાર પડે તે ખાતર મહાન વ્યક્તિઓ અને તેમનાં શાસને ભવિષ્યમાં અનાદરણીય કે અલ્પાદરણીય બને, તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy