________________
સમાચાર
દીક્ષા—પાલીતાણામાં કાર્તિક વદ ૨ના દિવસે પૂજ્ય આચાય મહારાજ શ્રી સાગરાનંદ સુરીધરજી મહારાજે મહેસાણા નિવાસી ભાઈ વ્રજલાલ ડાહ્યાભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિરાજ વિમળસાગરજી રાખવામાં અવ્યુ', અને તેમને પૂ. આચાર્ય મારાજના શિષ્ય બનાવવામાં આવ્યા.
કાળધર્મ —મુંબઈ-લાલબગમાં તા. ૧૦-૧૦-૩૮ના દિવસે પૂજ્ય મુનિરાજ શ્રી ગીર્વાણવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા.
અવસાન——વઢવાણુના રહેવાસી, જાણીતા જૈન સિવિલિયન શ્રીયુત શિવલાલ પાનાચંદ શાહ આઇ. સો. એસ. મુંબઈમાં ગતમાસમાં અવસાન પામ્યા.
મઘગવાડાથી વખારિયા ધરમચંદ રૂપચંદે કાર્તિક સુદી ૧૨ના દિવસે શ્રી કેસરિ યાના સધ કાયે,
નવા ઉપાશ્રય—પાટણમાં શેશ્રી નગીનદાસ કરમચંદના ભાઇ શેઠશ્રી મણિલાલ કરમચંદ સંઘવી લગભગ એક લખના ખર્ચે મોટા ઉપાશ્રય બંધાવવાના છે.
કાન્સ—જૈન શ્વે. મૂ. કાન્ફરન્સનું પંદરમું અધિવેશન ભાવનગર મુકામે નાતાલની રજાઓમાં ભરવાની તૈયારીઓ ચાલી રહી છે.
વખત બદલ્યા -પાટણમાં હેમમારરવતસત્ર નાતાલના બદલે આવતા વશાખમાં ઉજવાશે. અમદાવાદમાં હેમચંદ્ર જયંતો—અમદાવાદમાં તા. ૧૯-૨૦ નવેમ્બરના દિવસે મુંબઇ સરકારના નાણા–પ્રધાન માનનીય શ્રી. લડ઼ેન પ્રમુખપદે હેમચંદ્ર જયંતી ઉજવાશે.
સખાવત—શેઠ કાંતિલાલ ઇશ્વરલાલે માંગરોળ જૈન કન્યાશાળાના વિકાસ માટે રૂ. એક લાખ દશ હજારની અને શેઠશ્રી માણેકલાલ ચુનોલાલે રૂ. પંદર હજારની સખાવત આપી છે.
સ્વીકાર
૧ સૂર્યપુર અનેક જૈન પુસ્તક ભાંડાગાર સૂચિ—સંચયકાર કેશરીય’દ હીરાદ ઝવેરી, પ્રકાશક-મોતીચંદ મગનભાઇ ચોકસી . જૈન સાહિત્ય કૂંડ, એક રૂપિ, ૨ નૂતન જિન તવનમાળા—કર્તા “મુનિરાજ શ્રી દક્ષવિજયજી, પ્રકાશક-જૈન વિજયાનંદ પ્રિંટીંગ પ્રેસ, કપીડ બજાર સુરત. મે આના.
૩ વૈરાગ્યાદિ પ્રકરણ સંગ્રહ તથા સ્મરણાદ્ધિ સંગ્રહ-પ્રકાશક-મહેતા નાગરદાસ પ્રાગજીભાઇ ડોશીવાડાની પોળ, અમદાવાદ. એક શિ.
૪ નૂતન સ્તવન-ગહૂલી સંગ્રહ—તવનેાના કર્તા-આચાય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ. પ્રકાશક- ગાંધી મ`ગુભાઈ નેમચંદ, ઇડર, દાઢ આને
૫ તેરાપ’થીમત સમાલેાચના—લેખક અને પ્રકાશક એન. એમ. શાહ. અમૂલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org