SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસમાં થયેલા દસ શ્રાવકો [ સંક્ષિપ્ત જીવનકથા ] લેખક : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપઘસરિજી વિછિન્ન પ્રભાવશાલિ ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્ર દર્શન, બીજા બધાં દર્શનમાં - અગ્રેસર ગણાય છે, તે સર્વાશે ઘટિત જ છે. મધ્યસ્થભાવે તમામ વાદીઓને ઉચિત ન્યાય તે જ આપી શકે છે, કારણ તે નિષ્પક્ષપાતી દર્શન છે. જ્યાં પક્ષપાત હોય ત્યાં ઉચિત ન્યાય દેવાને અધિકાર લગાર પણ ટકી શકતો નથી. જક્ષત માહ્ય તજી મ વ જૈનદર્શન સશે પદાર્થોની વિચારણા કરે છે માટે અનેકાંત દર્શન; અને અપેક્ષિકવાદને માન્ય રાખે છે તેથી સ્યાદાદ દર્શન' તરીકે વિવિધ ગ્રંથમાં પ્રસિદ્ધ છે. પીપરને જેમ વધારે લૂંટવામાં આવે તેમ તે અધિક ફાયદો કરે છે તેમ સ્યાદાદ દર્શનને ગુરૂગમથી મધ્યસ્થ દૃષ્ટિએ વધુને વધુ અભ્યાસ કરવાથી આત્મવિકાસ પ્રત્યે ભવ્ય જીવો નિર્ભયપણે પ્રયાણ કરી શકે છે. આમ કરીને પૂવે-અનંતા ભવ્ય જી સિદ્ધિ પદ પામ્યા. (હાલ પણ મહાવિદેહમાં પામે છે. અને ભવિષ્યમાં પામશે.) અને પ્રભુ મહાવીરના વર્તમાન શાસનમાં પણ એવા અનેક દૃષ્ટાંત મળી શકે છે. જુઓ સાધુઓમાં-ગણધર શ્રી ગૌતમસ્વામી, સિંહ અણગાર, રોહક મુનિવર, અતિમુકત, ધન્યકુમાર, શાલિભદ્ર, અવતી સુકુમલ વગેરે સાધ્વીઓમાં-ચંદનબાલા, મૃગાવતી વગેરે, શ્રાવકોમાં– આનંદ, ર કામદેવ, ૩ ચુલની પિતા, ૪ સુરાદેવ, ૫ ચુલ્લશતક, કુંડલિક, ૭ સદાલ પુત્ર, ૮ મહાશતક, ૮ નંદિનીપિતા, ૧૦ તેતલીપિતા-શંખ-શતક વગેરે; અને શ્રાવિકાઓમાં-રેવતી, સુલસા વગેરે. તેમાંથી આનંદ શ્રાવકાદિના આદર્શ જીવનમાંથી ભવ્ય શ્રાવકોને આત્મોન્નતિનો માર્ગ લાધી શકે એ ઇરાદાથી, તેઓના જીવનની ટૂંક બીના અહીં જણાવી છે. ૧ શ્રી આનંદ શ્રાવક જિનાલયાદિ ધર્મસ્થાનોથી શોભાયમાન એવા વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે મહદ્ધિક વ્યાપારી (શ્રાવક) રહેતા હતા. તે બાર કોડ સેનૈયાના સ્વામી હતા. તેમાંથી તેમણે ત્રણ વિભાગ પાડયા હતા. એક ભાગના ચાર કોડસેનૈયા નિધાનમાં દાટેલા હતા, બીજા ચાર કેડ સેનયા વ્યાજમાં તથા બાકીના ચાર કેડ સેનૈયા વ્યાપારમાં રોકેલા હતા. તેમને ચાર ગોકુલ હતાં. તેમને નિર્મલ શીલ, વિનય, વગેરે ગુણોને ધરનારી શિવાનંદ નામે ગૃહિણી હતી. વાણિજ્યગ્રામની બહાર ઈશાન ખૂણામાં છેલ્લાગ નામનું એક પરૂ હતું. ૧ દશ હજાર ગાયનું એક ગોકુલ ગણવું. એવા ચાર ગોકુલ (૪૦ હજાર ગાય )નાસ્વામી હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy