SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અં ૧-૨ ] પ્રાચીન જૈન સ્થાપત્ય [૧] from Mathura” નામના નિબંધમાં પૃષ્ઠ ૧૯૫થી ૨૧૧ ઉપર બીજા એકતાલીશ શિલાલેબેની અને તે જ પુસ્તકનાં પૃષ્ઠ ૩૧ થી ૩૨૩ ઉપર ચાર ચિત્રપ્લેટ સાથે “Specimens of Jaina Sculptures from Mathura ” એ નામના નિબંધમાં ખાસ ઉપયોગી સ્થાપત્યો ઉપર વિસ્તૃત નેંધ લખેલી છે. અને ડે. બુલરની આ તેને ઉપગ શ્રીયુત વિન્સેન્ટ સ્મીથે પિતાને ઉપર્યુકત પુસ્તકમાં છુટથી કરેલ છે. દિલગીરી માત્ર એટલો જ છે કે લગભગ ચાલીશ વર્ષથી આ પ્રાચીન જૈન સ્થાપત્ય ઉપર જુદા જુદા યુપયન વિદ્વાનોએ નિબંધ લખીને અંગ્રેજીભાષા વાંચનાર જનતાનું ધ્યાન આકડ્યું છે, પરંતુ કોઈ પણ જૈન સંસ્થા અથવા તે વિદ્વાન તરફથી આ સ્થાપત્યો વિષે ઈ. સ. ૧૯૩૨ પહેલાં પ્રાંતીય ભાષામાં લખીને જૈન જનતાનું ધ્યાન ખેચવાને પ્રયત્ન કર્યો હોવાનું મારી જાણમાં નથી. - સૌથી પ્રથમ, ગુજરાતી ભાષા વાંચનાર જનતાનું ધ્યાન મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી એ “મુંબઈ સમાચાર”ના દીપેસવી અંકમાં “મથુરાને કંકાલી ટીલે ” એ નામને એક લેખ લખીને, તથા મુનિહારાજ શ્રી. ન્યાયવિજયજીએ “જેન જોતિ” માસિકમાં ઉત્તરાપથની વિજયગાથા” તથા “લખનૌ મ્યુઝીયમની જૈન મૂર્તિઓ” એ નામના બે લેબો લખીને અને “લખન મ્યુઝીયમની જૈન મૂર્તિઓ” એ નામથી જ “જન સત્ય પ્રકાશ” માસિકના વર્ષ ૧લાના અક ૧૧ પૃષ્ઠ ૩૮૦થી ૩૯૧ તથા અંક ૧૨ ના પૃષ્ઠ ૪૧થી૪૧૭ ઉપર લેખ લખીને જેન જનતાનું ધ્યાન આ પ્રાચીન સ્થાપત્ય તરફ ખેંચવાની તક લીધી છે. તેઓશ્રીને “જન જ્યોતિ ” માસિકમાં લેખ વાંચ્યા પછી જ મારું ધ્યાન તે તરફ ખેંચાયું હતું અને તેથી જ ચાલુ વર્ષના ઉનાળામાં હું મારા કુટુંબ સાથે યાત્રાએ ગયો હતો ત્યારે તા. ૧૩-૪-૩૮ના રેજ મથુરા મ્યુઝીયમની અંદર આવેલાં “પ્રાચીન સ્થાપત્યો ” તથા તા. ૧૪-૪-૩૮થી તા. ૨૦-૪-૩૮ સુધી લખનૈ મ્યુઝીયમમાંનાં “ પ્રાચીન સ્થાપત્ય નાં દર્શન કરવાની તથા તપાસ કરવાની મને સુવર્ણપળો સાંપડી હતી, જેનો ટુંક અહેવાલ આ લેખમાં રજુ કરવામાં આવેલ છે. મંથરા એ વૈષ્ણનું મોટું ધામ છે. એક વખતે જૈનોનું પણ તે પરમ પુનીત યાત્રા ધામ હતું. મથુરામાં ઘીયામંડીમાં એક શ્વેતાંબર જૈન મંદિર છે, જેની પ્રતિષ્ઠા મુનિમહારાજ શ્રી. દર્શનવિજયજીએ કરેલી છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથની સફેદ આરસની આ નયનમનહર મૂર્તિનું મુખાવિંદ બહુ જ સુંદર છે. આ પ્રતિમાજી મોગલ સમયમાં બનેલી છે અને તેની પ્રતિષ્ઠા પણ હીરવિજયસૂરિના સમયમાં થયેલી હતી. ત્યારપછી ઔરંગઝે. બના સમયમાં જૈન મંદિરો ધ્વસ્ત થયાં હોય એમ લાગે છે. મથુરા શહેરથી લગભગ અડધે માઈલ દૂર આવેલા એક બગીચામાં કર્ઝન મ્યુઝીયમ બાવેલું છે, તે જોવા માટે તા. ૧૩મી એપ્રિલના રોજ હું ગયો હતો, તે દિવસે બુધવાર હોવાથી મ્યુઝીયમ બંધ હતું, તેથી ત્યાંના કયુરેટર શ્રીયુત વાસુદેવ શરણ અગ્રવાલને હું મ. તેઓએ ઘણી ખુશીથી મ્યુઝીયમ ખેલાવી મને ત્યાંની જૈન મૂર્તિઓ જેવાની સેનેરી તક આપી તે માટે તેમને હું આભાર માનું છું. Jain Education Interneમથુરા મ્યુઝીયમની જોન મૂર્તિઓ નીચે પ્રમાણે છેnly, www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy