________________
[ ૧૨૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[ ૫ ૪
પરન્તુ દિગમ્બરે પણ સ્વાસ્નાય પ્રદર્શક ૩ દસાર ' વગેરે ગ્રન્થામાં શ્વેતામ્બરેથી પોતાની ભિન્નતા થયાનેા સવત વિક્રમથી ૧૩ વર્ષે જણાવે છે. શ્રીવીરપ્રભુ અને વિક્રમ રાજાનું અંતર ૪૭૦ વર્ષનું છે, ૪૭૦ની સંખ્યામાં ૧૩૬ની સંખ્યા ઉમેરતાં [૪૭૦+ ૧૩૬=] ૬૦૬ની સંખ્યા થાય, અર્થાત્ વીરનિર્વાણુથી ૬૦૬ વર્ષે શ્વેતામ્બર સંધ ઉત્પન્ન થયા એવુ તેઓનું કથન છે. તાત્પર્ય એ છે કે શ્રીવીરનિર્વાણથી છઠ્ઠા સૈકાની પૂર્ણાહુતિ પત શ્વેતામ્બર –દિગમ્બર એવા મતભેદો ન હતા. સાતમા સૈકાના પ્રારંભમાં આ બન્ને મતભેદોની ઉત્પત્તિ થઇ, દિગમ્બરો કહે છે કે દિગમ્બરેમાંથી શ્વેતામ્બરા વલભીપુરમાં ઉત્પન્ન થયા, જ્યારે શ્વેતામ્બરા કહે છે કે શ્વેતામ્બરામાંથી રથવીરપુરમાં દિગમ્બરો ઉત્પન્ન થયા. હવે આ બન્ને કથનમાં કયું વચન શાસ્ત્રીય તેમ જ યુકિતસંગત છે તેને પામશ કરવા પહેલાં શ્વેતામ્બરાના અને દિગમ્બરાના કથનમાં માત્ત્પત્તિ સંબંધી ત્રણ વર્ષના જે વિસંવાદ આવે છે તેનું શું કારણ તે ઉપર યત્કિંચિત્ વિચાર કરવાની આવશ્યકતા છે. યપિ આવા વિષયોમાં ત્રણ વર્ષના ફરક એ મહત્ત્વની બાબત નથી, તે પણ વિચાર કરતાં એમ ખ્યાલમાં આવી શકે છે કે-શ્વેતામ્બર મતાનુયાયિઓએ દિગમ્બરાની ઉત્પત્તિ સબધી જનસમૂહમાં જે અવસરે જાહેરાત કરી તે અવસરે દિગમ્બરાએ અમે પ્રાચીન તેમજ શુદ્ધ નિગ્રન્થ છીએ અને શ્વેતામ્બરા અર્વાચીન તેમજ શિથિચારી છે' એમ જણાવવા શ્વેતામ્બરાએ જાહેર કરેલા સવતની પહેલાં ત્રણ વર્ષથી જ ‘શુદ્ધ નિન્થ માની રક્ષા માટે શિથિલાચારી શ્વેતામ્બરાથી અમે ભિન્ન થયા છીએ' એમ સ્વમત રક્ષણના ઉદ્દેશથી દિગમ્બરાચાર્યો તરફથી ૬૬ના સંવત રાખવામાં આવ્યો હોય તે તે સંભવિત હૈ. અહિં દિગમ્બરાએ શ્વેતામ્બરોની ઉત્પત્તિ જનસમુદાયમાં જાડૅર કરી હોય અને તેથી શ્વેતામ્બરેશને સ્વમતરક્ષણના ઉદ્દેશથી તેમજ · અમે। શુદ્ધ નિન્ય છીએ, દિગમ્બરો શિથિલાચારી છે, ’ એ જણાવવાના ઇરાદાથી દિગમ્બરાના સવતની અપેક્ષાએ ત્રણ વર્ષ બાદ મતાત્પત્તિના સંવતની કલ્પના શ્વેતામ્બરાચાર્ય ભગવતે એ કરી હોય એવી વિપરીત શંકા કરવાને લેશ પશુ અવકાશ નથી. જે બાબત આગળ જણાવાતી યુકતથી સ્વયમેવ જાણી શકાય તેમ છે,
<
શ્વેતામ્બરેમાંથી દિગમ્બરા ઉત્પન્ન થયા છે તે જાણવાની યુકિતઓ:
૧. નિગ્રન્થ-મુનિ-સંયમી-સાધુ-શ્રમણ વગેરે સ ંખ્યાબંધ મુનિવાચક શબ્દોનું અસ્તિત્વ છતાં ગ્નપયાયવાચી · દિગમ્બર' શબ્દ વડે પેાતાના સાધુની તેમજ મતની ઓળખાણ કરાવવી એ મતપ્રવત્તક પુરૂષના કદાગ્રહનુ ભાન કરાવવા ઉપરાંત આવા નામવાળા મતની ઉત્પત્તિ અમુક સમયે થયેલી છે એ જણાવવા માટે બસ છે.
૨. દિગમ્બરાચાર્યએ રચેલા અનેક ગ્રન્થામાં ઠેકાણે ઠેકાણે આવતા નિત્થ-મુનિ ’ વગેરે શબ્દોને બાઘાભ્ય તરગ્રન્થિરહિત–સ તત્ત્વોના જાણું' ત્યાદિ સુંદર અં, લક્ષણશાસ્ત્રના નિયમો પ્રમાણે થઇ શકવા સુલભ તેમજ ઉચિત છતાં પ્રાયઃ પ્રત્યેક સ્પલે નિગ્રન્થમુનિ વગેરે શબ્દોને ગમે તે અથ કર્યા બાદ અન્તમાં ‘નિશ્ર્વર કૃત્યથ:’
३ ' छत्तीसे वरिससए विक्कमरायस्स मरणपत्तस्स । सेवडसंघो समुप्पण्णो ॥ १ ॥
सोरट्ठे वलहीए
For Private & Personal Use Only
Jain Education International
[ શનનાર ]ainelibrary.org