________________ Errorl Reference source not found. Error! Reference source not found. 18 જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણોસંયુક્ત જોઈ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઈ જોવામાં આવી નહીં ! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે. 19 બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. 18 મોરબી, અષાડ વદ 5, ભોમ, 1956 1 ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો તે ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે. પણ ભિક્ષકને અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં. 2 જો એક વખત આત્મામાં અંતવૃત્તિ સ્પર્શી જાય, તો અર્ધ પુગલ પરાવર્તન રહે એમ તીર્થંકરાદિએ કહ્યું છે. અંતવૃત્તિ જ્ઞાનથી થાય છે. અંતવૃત્તિ થયાનો આભાસ એની મેળે (સ્વભાવે જ) આત્મામાં થાય છે, અને તેમ થયાની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. અર્થાત આત્મા ‘થરમૉમિટર’ સમાન છે. તાવ હોવાની તેમ તાવ ઊતરી જવાની ખાતરી થરમૉમિટર આપે છે. જોકે થરમૉમિટર' તાવની આકૃતિ બતાવતું નથી, છતાં તેથી પ્રતીતિ થાય છે. તેમ અંતવૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતવૃત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે, એમ પ્રતીતિ થાય છે. એ જ રીતે અંતવૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે ‘પરિણામપ્રતીતિ છે. 3 વેદનીય કર્મ 1 4 નિર્જરાનો અસંખ્યાતગણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન પામેલ નથી એવા મિથ્યાદ્રષ્ટિ જીવ કરતાં સમ્યકદ્રષ્ટિ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.? 5 તીર્થકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતાં છતાં ‘ગાઢ અથવા ‘અવગાઢ સમ્યકત્વ હોય છે. 6 ‘ગાઢ' અથવા “અવગાઢ’ એક જ કહેવાય. 7 કેવળીને ‘પરમાવગાઢ સમ્યકત્વ હોય છે. 8 ચોથે ગુણસ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યકત્વ હોય છે. 1 શ્રોતાની નોંધઃ- વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ષ ધરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી તેમ થાય છે એ વિષે સ્વાત્માશ્રયી વિચારવા શ્રીમદે કહ્યું. 2 એમ અસંખ્યાતગુણ નિર્જરાનો ચઢિયાતો ક્રમ ચૌદમાં ગુણસ્થાનક સુધી શ્રીમદે બતાવ્યો અને સ્વામી કાર્તિકની શાખ આપી.