________________ Errorl Reference source not found. 24 Error! Reference source not found. 9 ક્ષાયિક સમ્યકત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યકત્વ એકસરખું છે. 10 દેવ, ગુરૂ, તત્વ અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છેઃ- (1) કસ, (2) છે, અને (3) તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દ્રષ્ટાંતે. (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલા અને બીજા પ્રકારે કોઈમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવ, ગુરૂ અને ધર્મ ખરા ગણાય. 11 શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજવો. આચાર્યો એવા જોઈએ કે શિષ્યનો અલ્પ દોષ પણ જાણી શકે અને તેનો યથાસમયે બોધ પણ આપી શકે. 12 સમ્યફદ્રષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશમનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ. 191 રાત્રે 1 અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વચ્ચે તફાવત. 2 પરમાવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનથી પણ ચઢી જાય છે, અને તે એક અપવાદરૂપે છે. 20 મોરબી, અસાડ વદ 7, બુધ, 1956 1 આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે, અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુતકેવળી પણ અશક્ય છે. 2 જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે. 3 ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઇત્યાદિ છે, અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેનો વિધિ છે. 4 દશવૈકાલિકમાં પહેલી ગાથા : धम्मो मंगलमुक्किडं, अहिंसा संजमो तवो; 1 અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન સંબંધી ‘નંદીસૂત્ર” માં જે વાંચવામાં આવેલ તેથી જુદા થયેલ અભિપ્રાય પ્રમાણે ‘ભગવતી આરાધના’ માં વાંચવામાં આવ્યાનું શ્રીમદે જણાવ્યું. પહેલા (અવધિ) જ્ઞાનના કટકા થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઈ શકે; સ્થળ છે; એટલે મનના સ્થળ પર્યાય જાણી શકે; અને બીજું મન:પર્યવ) જ્ઞાન સ્વતંત્ર, ખાસ મનના પર્યાય સંબંધી શક્તિવિશેષને લઈને એક જુદા તાલુકાની માફક છે; તે અખંડ છે; અપ્રમત્તને જ થઈ શકે, ઇત્યાદિ મુખ્ય મુખ્ય તફાવત કહી બતાવ્યો.