SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 15 સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ એકબીજાને લઈને. 15 મોરબી, અસાડ વદ 3, રવિ, 1956 1 અનુપપન્ન નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા યોગ્ય. રાત્રે 16 શ્રાવકઆશ્રયી, પરસ્ત્રીત્યાગ તથા બીજા અણુવ્રત વિષે. 1 જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે, ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો નથી. 2 ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. 3 જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહીં. 4 મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે. 5 મૃષા બોલવાથી જ લાભ થાય એવો કાંઈ નિયમ નથી. જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ; તેમ કાંઈ જોવામાં આવતું નથી, તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર પણ ખોટાં પડે. 6 સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. 7 સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે. 17 મોરબી, અસાડ વદ 4, સોમ, 1956 1 દિગંબરસંપ્રદાય એમ કહે છે કે આત્મામાં ‘કેવળજ્ઞાન’ શક્તિરૂપે રહ્યું છે. 2 શ્વેતાંબરસંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે.
SR No.331097
Book TitleVachanamrut 0959 Vakhyan Sar2 001 to 009
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy