________________ Errorl Reference source not found. Error! Reference source not found. 14 મોરબી, અષાડ વદ 2, શનિ, 1956 1 પર્યાયાલોચન= એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. 2 આત્માની પ્રતીતિ માટે સંકલના પ્રત્યે દ્રષ્ટાંત : છ ઇંદ્રિયોમાં મન અધિષ્ઠાતા છે, અને બાકીની પાંચ ઇંદ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે; અને તેની સંકલના કરનાર પણ એક મન જ છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઇંદ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે, તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઈ, તે લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર છે. 3 જે પ્રદેશે વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે, અને બાકીના ગૌણપણે વેદે છે. 4 જગતમાં અભવ્ય જીવ અનંતા છે. તેથી અનંતગુણા પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે, અને મૂકે 5 દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે પરિણમે, અને ત્યાં જેવા પ્રકારનો બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તો ત્યાં માથાના દુઃખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. 6 એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રીરૂપે છે અને પુરુષને પુરુષરૂપે પરિણમે છે; અને ખોરાક પણ તથા પ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે. 7 પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઈએ જોયાં નથી, પણ તેનું પરિણામવિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દ્રષ્ટાંતે કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે. 8 અનાગાર જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. 9 અણગાર= ઘર વિનાના. 10 સમિતિ= સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદાસહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપસહિત પ્રવર્તવું તે. 11 સત્તાગત–ઉપશમ. 12 શ્રમણ ભગવાન સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. 13 અપેક્ષા =જરૂરિયાત, ઇચ્છા. 14 સાપેક્ષ = બીજા કારણ, હેતુની જરૂરિયાત ઇચ્છે છે તે.