________________ પ્રતિ કિંચિત્માત્ર પણ અપરાધ કર્યો હોય, તે જાણતાં અજાણતાં થયો હોય, તે સર્વ ક્ષમાવવા, તેને નિંદવા, વિશેષ નિંદવા, આત્મામાંથી તે અપરાધ વિસર્જન કરી નિઃશલ્ય થવું. રાત્રિએ શયન કરતી વખતે પણ એ જ પ્રમાણે કરવું. શ્રી સત્પરુષનાં દર્શન કરી ચાર ઘડી માટે સર્વ સાવદ્ય વ્યાપારથી નિવર્તી એક આસન પર સ્થિતિ કરવી. તે સમયમાં ‘પરમગુરૂ' એ શબ્દની પાંચ માળાઓ ગણી બે ઘડી સુધી સતુશાસ્ત્રનું અધ્યયન કરવું. ત્યાર પછી એક ઘડી કાયોત્સર્ગ કરી શ્રી સપુરુષોનાં વચનોનું તે કાયોત્સર્ગમાં રટણ કરી સવૃત્તિનું અનુસંધાન કરવું. ત્યાર પછી અરધી ઘડીમાં ભક્તિની વૃત્તિ ઉજમાળ કરનારાં એવાં પદો (આજ્ઞાનુસાર) ઉચ્ચારવાં. અરધી ઘડીમાં ‘પરમગુરુ' શબ્દનું કાયોત્સર્ગરૂપે રટણ કરવું, અને ‘સર્વજ્ઞદેવ’ એ નામની પાંચ માળા ગણવી. હાલ અધ્યયન કરવા યોગ્ય શાસ્ત્રોઃ- વૈરાગ્યશતક, ઇંદ્રિયપરાજયશતક, શાંતસુધારસ, અધ્યાત્મકલ્પદ્રુમ, યોગદ્રષ્ટિસમુચ્ચય, નવતત્ત્વ, મૂળપદ્ધતિ કર્મગ્રંથ, ધર્મબિંદુ, આત્માનુશાસન, ભાવનાબોધ, મોક્ષમાર્ગપ્રકાશ, મોક્ષમાળા, ઉપમિતિભવપ્રપંચ, અધ્યાત્મસાર, શ્રી આનંદઘનજી-ચોવીશીમાંથી નીચેના સ્તવનોઃ- 1, 3, 5, 7, 8, 9, 10, 13, 15, 16, 17, 19, 22. સાત વ્યસન(જૂગટું, માંસ, મદિરા, વેશયાગમન, શિકાર, ચોરી, પરસ્ત્રી)નો ત્યાગ. (અથ સપ્તવ્યસન નામ ચોપાઈ). જૂવા,૧ આમિષ, મદિરા, દારી, આહેટક,૫ ચોરી, પરનારી, 7 એહિ સપ્તવ્યસન દુઃખદાઈ, દુરિતમૂળ દુર્ગતિકે જાઈ.” એ સપ્તવ્યસનનો ત્યાગ. રાત્રિભોજનનો ત્યાગ. અમુક સિવાય સર્વ વનસ્પતિનો ત્યાગ. અમુક તિથિએ અત્યાગ વનસ્પતિનો પણ પ્રતિબંધ. અમુક રસનો ત્યાગ. અબ્રહ્મચર્યનો ત્યાગ. પરિગ્રહ પરિમાણ. શરીરમાં વિશેષ રોગાદિ ઉપદ્રવથી, બેભાનપણાથી, રાજા અથવા દેવાદિના બળાત્કારથી અત્રે વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા અશક્ત થવાય તો તે માટે પશ્ચાત્તાપનું સ્થાનક સમજવું. સ્વેચ્છાએ કરીને તે નિયમમાં ન્યૂનાધિકતા કંઈ પણ કરવાની પ્રતિજ્ઞા. સપુરુષની આજ્ઞાએ તે નિયમમાં ફેરફાર કરવાથી નિયમ ભંગ નહીં. 34 શ્રી ખંભાત, આસો સુદ, 1951 સત્ય વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું, તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે. “પરમાર્થસત્ય અને વ્યવહારસત્ય.’ 9 ખંભાતના એક મુમુક્ષુભાઈએ યથાશક્તિ સ્મૃતિમાં રાખી કરેલ નોંધ.