SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અવલોકનથી જણાશે. ‘ષદર્શનસમુચ્ચય'ના ભાષાંતરમાં દોષ છતાં મણિભાઈએ ભાષાંતર ઠીક કર્યું છે. બીજા એવું પણ ન કરી શકે. એ સુધારી શકાશે. 21 શ્રી મોરબી, વૈ. સુદ 9, 1956 વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્ત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે. મોરબી, અસાડ સુદ, 1956 'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः; करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' ‘તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારું મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્ર સંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું.’ દેવ કોણ ? વીતરાગ. દર્શનયોગ્ય મુદ્રા કઈ ? વીતરાગતા સૂચવે છે. ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને, વસ્તુને યથાવત લક્ષમાં રાખી વૈરાગ્યનું એમાં નિરૂપણ કર્યું છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનાર ચાર સ્લોક અદ્ભુત છે. એને માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિકસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડોલ વૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ, વૈરાગ્યમય દિગંબરવૃત્તિ યાદ આવતી હતી. નમસ્કાર તે સ્વામી કાર્તિકેયાદિને. 23 મોરબી, શ્રાવણ વદ 8, 1956 ‘ષદર્શનસમુચ્ચય' ને ‘યોગદ્રષ્ટિસમુચ્ચય’નાં ભાષાંતર ગુજરાતીમાં કરવા યોગ્ય છે. ‘ષદૃર્શનસમુચ્ચય'નું ભાષાંતર થયેલ છે પણ તે સુધારી ફરી કરવા યોગ્ય છે. ધીમે ધીમે થશે, કરશો. આનંદઘનજી ચોવીશીના અર્થ પણ વિવેચન સાથે લખશો. नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे,
SR No.331082
Book TitleVachanamrut 0956 Upadesh Nondh 01 to 10
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy