________________ ‘મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળો કે વૈભવ મળો કે અમુક ઇચ્છિત થાઓ’ એવી ઇચ્છાને નિયાણું, નિદાન દોષ કહે છે. તેવું નિયાણું ન બાંધવું ઘટે. 13 મુંબઈ, તા. વદ 9, 1956 ‘અવગાહના” એટલે અવગાહના. અવગાહના એટલે કદ આકાર એમ નહીં. કેટલાક તત્ત્વના પારિભાષિક શબ્દો એવા હોય છે કે જેનો અર્થ બીજા શબ્દોથી વ્યકત ન કરી શકાય, જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે, જે સમજ્યા જાય પણ વ્યકત ન કરી શકાય. અવગાહના એવો શબ્દ છે. ઘણા બોધે, વિશેષ વિચારે, એ સમજી શકાય. અવગાહના ક્ષેત્રઆશ્રયી છે. જુદું છતાં એકમેક થઈ ભળી જવું, છતાં જુદું રહેવું. આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણે તે તેની અવગાહના કહી છે. 14 મુંબઈ, કાર્તિક વદ 9, 1956 જે બહુ ભોગવાય છે તે બહુ ક્ષીણ થાય છે. સમતાએ કર્મ ભોગવતાં તે નિર્ભરે છે; ક્ષીણ થાય છે. શારીરિક વિષય ભોગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે. જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે, એ માર્ગ વિકટ નથી, સીધો છે, પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેના વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે. ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે “જા, નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે.” પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે. 15 મુંબઈ, કારતક વદ 11, 1956 શ્રી સદ્ભુત, શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર. 11. | શ્રી ક્ષપણાસાર. શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય. 3. | શ્રી પદ્મનંદિ પંચવિંશતિ. 12. | શ્રી લબ્ધિસાર. 13. શ્રી ત્રિલોકસાર.