________________ 113 ઇંડામાં જેમ પક્ષીનો ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂર્છાગત અવસ્થા છતાં જીવત્વ છે, તેમ એકેંદ્રિય જીવો’ પણ જાણવા. 114 શંબક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે જીવો રસ, અને સ્પર્શને જાણે છે, તે બે ઇંદ્રિય જીવો' જાણવા. 115 જૂ, માંકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે, તે ‘ત્રણ ઈન્દ્રિય જીવો’ જાણવા. 116 ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે ચાર ઈન્દ્રિય જીવો' જાણવા. 117 દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે; તે બળવાન પાંચ ઈન્દ્રિયવાળા જીવો છે. 118 દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર છે; તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે. 119 પૂર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને લેફયાના વશથી બીજા દેહમાં જાય છે. 120 દેહાશ્રિત જીવોના સ્વરૂપનો એ વિચાર નિરૂપણ કર્યો, તેના ભવ્ય’ અને ‘અભવ્ય' એવા બે ભેદ છે. દેહરહિત એવા સિદ્ધભગવંતો છે. 121 ઇંદ્રિયો જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવનાં ગ્રહણ કરેલાં સાધનમાત્ર છે. વસ્તુતાએ તો જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ. 122 જે સર્વ જાણે છે, દેખે છે, દુઃખ ભેદીને સુખ ઇચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે. તે “જીવ' છે. 123 124 આકાશ, કાળ, પુદગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ, અને જીવને સચૈતન્ય કહીએ છીએ. 125 સુખદુઃખનું વેદન, હિતમાં પ્રવૃતિ, અહિતમાં ભીતિ તે ત્રણે કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ ‘અજીવ' કહે છે. 126 સંસ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુગલદ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપર્યાયો ઘણા 127 અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અને વચનઅગોચર એવો જેનો ચૈતન્ય ગુણ છે તે જીવ છે. 128 જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે,