________________ સર્વ દુઃખનો ક્ષય કરનારો એક પરમ સદુપાય, સર્વ જીવને હિતકારી, સર્વ દુ:ખના ક્ષયનો, એક આત્યંતિક ઉપાય, પરમ સદુપાયરૂપ વીતરાગદર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે, જીવ ભવસાગર તરી જાય છે. ‘સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે : આત્મા શું ? કર્મ શું? તેનો કર્તા કોણ? તેનું ઉપાદાન કોણ ? નિમિત્ત કોણ? તેની સ્થિતિ કેટલી ? કર્તા શા વડે ? શું પરિમાણમાં તે બાંધી શકે ? એ આદિ ભાવોનું સ્વરૂપ જેવું નિર્ગથસિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનાપૂર્વક છે તેવું કોઈ પણ દર્શનમાં નથી. [અપૂર્ણ