________________ 440 કલ્યાણની જિજ્ઞાસાવાળો એક કાગળ ગઈ સાલમાં મુંબઈ, ચૈત્ર સુદ 9, 1949 મુમુક્ષભાઈ સુખલાલ છગનલાલ, વીરમગામ. કલ્યાણની જિજ્ઞાસાવાળો એક કાગળ ગઈ સાલમાં મળ્યો હતો, તેવા જ અર્થનો બીજો કાગળ થોડા દિવસ થયાં મળ્યો છે. કેશવલાલનો તમને ત્યાં સમાગમ થાય છે એ શ્રેયવાળો જોગ છે. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારાં કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે.