________________ નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. 11 અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. 12 એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદગુણ પણ, મુખ બતાવું શુંય ? 13 કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. 14 અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરૂ સંતને, મૂક્યું નહિ અભિમાન. 15 સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. 16 સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સતુ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? 17 પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરૂ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીકે કોણ ઉપાય ? 18 અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? 19 પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ, સદ્ગુરૂ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ. 20