________________ 264 હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; રાળજ, ભાદરવા સુદ 8, 1947 (દોહરા) હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. 1 શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? 2 નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉરમાંહી, આપ તણો વિશ્વાસ દ્રઢ, ને પરમાદર નાહીં. 3 જોગ નથી સતસંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. 4 ‘હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. 5 અચિંત્ય તુજ માહાસ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. 6 અચળરૂપ આસક્તિ નહિ. નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. 7 ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. 8 કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. 9 સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. 10 તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં;