________________ 88 સર્વવ્યાપક ચેતન ચીતરીને વિચારો - પ્રકાશસ્વરૂપ ધામ - અંતઃકરણ વિષે પ્રશ્નોત્તર મુંબઈ, કારતક, 1946 (1) આ આખો કાગળ છે, તે સર્વવ્યાપક ચેતન છે. તેના કેટલા ભાગમાં માયા સમજવી ? જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ ? તેમાં જુદા જુદા જીવ શી રીતે માનવા ? અને તે જીવને બંધ શી રીતે માનવો ? અને તે બંધની નિવૃત્તિ શી રીતે માનવી? તે બંધની નિવૃત્તિ થયે ચેતનનો કયો ભાગ અને એક ઠેકાણે નિરાવરણપણું, તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ એમ બને કે કેમ ? તે ચીતરીને વિચારો. સર્વવ્યાપક આત્મા : ભાસે છે માયા જગત ઘટાકાશ, જીવ બોધ ધરવ્યય. શું ફળ? લોક વિરાટ ઈશ્વર આવરણ આ રીતે તો ઘટતું નથી. (2) પ્રકાશસ્વરૂપ ધામ. તેમાં અનંત અપ્રકાશ ભાસ્યમાન અંતઃકરણ તેથી શું થાય ? 1 ધારો કે અધ્યાહાર.