________________ 60 (1) સંયતિ ધર્મ: પ્રથમ જ્ઞાન અને પછી દયા - યત્ના, સંયમ, સંવર, નિર્જરા, કેવળજ્ઞાન, મોક્ષ (2) પંચ મહાવ્રતાદિ : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એક વખત આહાર - રાત્રિભોજનનો ત્યાગ - છકાય જીવની રક્ષા વૈશાખ, 1945 (1). સંયતિ ધર્મ અયત્નાથી ચાલતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. 2. અયત્નાથી ઊભા રહેતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે, તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. 1. અયત્નાથી શયન પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી આહાર લેતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી બોલતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. 6. કેમ ચાલે ? કેમ ઊભો રહે? કેમ બેસે ? કેમ શયન કરે ? કેમ આહાર લે ? કેમ બોલે ? તો પાપકર્મ ન બાંધે ? 7. યત્નાથી ચાલે; યત્નાથી ઊભો રહે; યત્નાથી બેસે; યત્નાથી શયન કરે, યત્નાથી આહાર લે; યત્નાથી બોલે; તો પાપકર્મ ન બાંધે. 8. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે; મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ, આસવ નિરોધથી આત્માને દમે, તો પાપકર્મ ન બાંધે. 9. પ્રથમ જ્ઞાન અને પછી દયા (એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અજ્ઞાની (સંયમમાં) કરે, કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી ? 10. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ, બન્નેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય, તે સમાચરવું જોઈએ. 14. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી; અજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતો નથી, કે તે બન્નેનાં તત્વને જાણતો નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે ? 12. જે ચૈતન્યનું સ્વરૂપ જાણે; જે જડનું સ્વરૂપ જાણે; તેમજ તે બન્નેનું સ્વરૂપ જાણે; તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે.