________________ અષ્ટાદશ પાપસ્થાનક ત્યાં સુધી ક્ષય થવાનાં નથી કે જ્યાં સુધી આ અષ્ટાદશ વિપ્નથી મનનો સંબંધ છે. આ અષ્ટાદશ દોષ જવાથી મનોનિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી. અતિભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં; પણ કેવળ ભોગત્યાગવત જેણે ધર્યું છે, તેમજ એ એક્કે દોષનું મૂળ જેના હૃદયમાં નથી તે સપુરુષ મહદભાગી છે.