________________ જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરાભાવના. 10. લોકસ્વરૂપભાવના: ચૌદરાજ લોકનું સ્વરૂપ વિચારવું તે દશમી લોકસ્વરૂપભાવના. 11. બોધદુર્લભભાવના: સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યકજ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવિરતિપરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે એમ ચિંતવવું તે અગિયારમી બોધદુર્લભભાવના. 12. ધર્મદુર્લભભાવના : ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરૂ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે બારમી ધર્મદુર્લભભાવના. એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દ્રઢ કરનારી બાર ભાવનાઓમાંથી કેટલીક ભાવનાઓ આ દર્શનાંતર્ગત વર્ણવીશું. કેટલીક ભાવનાઓ કેટલાક વિષયમાં વહેંચી નાંખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે; એથી તે વિસ્તારી નથી.