________________ પ્રથમ દર્શન વૈરાગ્યબોધિની કેટલીક ભાવનાઓ એમાં ઉપદેશીશું. વૈરાગ્યની અને આત્મહિતૈષી વિષયોની સુદ્રઢતા થવા માટે બાર ભાવનાઓ તત્વજ્ઞાનીઓ કહે છે. 1. અનિત્યભાવના : શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે, એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના. 2. અશરણભાવના : સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી અશરણભાવના. 3. સંસારભાવના: આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારો નથી, મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. 4. એકત્વભાવના : આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલાં કર્મ એકલો ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે ચોથી એકત્વભાવના. 5. અન્યત્વભાવના : આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના. 6. અશુચિભાવના : આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે, રોગ-જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું ન્યારો છું, એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના. 7. આસવભાવના: રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસવ છે એમ ચિંતવવું તે સાતમી આસવભાવના. 8, સંવરભાવના : જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહીં તે આઠમી સંવરભાવના. 9. નિર્જરાભાવના: