________________ પ્રત્યક્ષ આ લોકમાં સમસ્ત કલેશ, દુઃખ, મરણ, અપમાન, હાનિથી રક્ષા કરવાવાળા છે. મંદ કષાયનાં ફલ સ્વાધીન સુખ, આત્મરક્ષા ઉજ્જવળ યશ, કલેશરહિતપણું, ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ દેખી એનું શરણ ગ્રહણ કરો. પરલોકમાં એનું ફળ સ્વર્ગલોક છે. વિશેષમાં વ્યવહારમાં ચાર શરણ છે. અહંત, સિદ્ધ, સાધુ, કેવળજ્ઞાનીનો પ્રકાશેલ ધર્મ એ જ શરણ જાણવું. એ પ્રમાણે અહીં એના શરણ વિના આત્માની ઉજ્જવળતા પ્રાપ્ત નથી થતી એવું દર્શાવનારી અશરણ અનુપ્રેક્ષા વિચારી. 2