________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
તેઓ વ્યાપાર-વાણિજ્ય કરી ધનને વધારવામાં કુશળ હતા, બીજી પણ અનેક કળામાં કુશળ હતા.
તેઓને ત્યાં વિપુલ પ્રમાણમાં ભોજનસામગ્રી રહેતી અને ભોજન કરનારા પણ અનેક રહેતા હતા.
તેઓને ત્યાં અનેક નોકરચાકર-ગાય—પાડા—ઘેટાંઓનો સમૂહ હતો. કોઈપણ કાર્યમાં પરાવલંબી ન હતા.... તેઓની ઉદારતાને લીધે દરવાજા
પાછળ રહેતો
ઉલાળિયો ઊંચો જ રહેતો હતો.
તેમનાં અંત:પુર પણ પ્રીતિ ઉપજાવે તેવાં હતાં. તેઓ શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસો વડે આઠમ—ચૌદશ-અમાસ અને પૂનમે પરિપૂર્ણ પૌષધને આચરતા હતા.
-મન. શ. ૨, ૩. ૬, સૂત્ર ૬૩૦
વર્તમાન કાળે કોઈને શાલિભદ્ર આદિ ઋદ્ધિયુક્ત શ્રાવકની ઉપમા અપાય છે ત્યારે આ સર્વે આગમકાલીન શ્રાવક-શ્રાવિકાની ઋદ્ધિસિદ્ધિ એ એક એવું પ્રમાણ આપણી સમક્ષ રજૂ કરે છે કે ખરેખર આપણાં શ્રાવક-શ્રાવિકાની સંપત્તિ પ્રતિભા કેટલી ઉચ્ચતમ કોટિની હશે!
-+-----
[35] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]