________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા’ - જીવન અને કવન
नमो नमो निम्मलदंसणस्स પૂજ્ય શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગૂરૂભ્યો નમ:
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા’
'જીવન અને કવન આગમદિવાકર મુનિ દીપરત્નસાગરા
ભૂમિકા:-- વીર પરમાત્માના શાસનમાં વર્તમાન કાળે ઉપલબ્ધ એવાં ૪૫ આગમોમાં અંકિત થયેલી શ્રમણોપાસકશ્રમણોપાસિકાની યશોજ્જવલ ગાથાનું ચિંતન કરતાં થયું કે વર્તમાન શ્રાવક-શ્રાવિકાની યશોગાથામાં જાગૃત કે અજાગૃતપણે સ્વપ્રસંશા, સ્વપક્ષપ્રસંશા કે સ્વભક્તપ્રસંશાનું તત્વ પ્રતિબિંબિત થશે તો પછી શ્રી ગણધર ગુંફિત અને પરમાત્મ-પ્રરૂપિત આગમશાસ્ત્રોમાં દ્રષ્ટિમાન થતાં શ્રાવક-શ્રાવિકાના જીવન-કવનના અંશોને શા માટે પુનઃ લિપિબદ્ધ ન કરવા?
સામાન્યરીતે આગમ અને શ્રાવક-શ્રાવિકા શબ્દની સહવિચારણાના અવસરે ‘ઉપાસકદશા' નામક આગમ જ સૌના મુખે રમતું આવે; પણ જો શ્રાવક-પ્રતિભા-દર્શન જ કરવું હોય તો આવા એક નહિ પણ અગિયાર આગમોનો હવાલો આપી શકાય.
[2] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.)