SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જયતે', તે, આવો ભ્રામક પ્રચાર કરવાની રજા કેમ આપે છે ? પૉસ્ટ્રી એક અતિશય મોંઘો ઉદ્યોગ છે, જેને માટે ૫૩ લાખ ટન ખાદ્ય અનુન પૂરું પાડવું પડે છે. એ જાણીને આપણને આશ્ચર્ય થાય છે કે, જે, ભારત સરકારે એ તથ્યની કયારેય કોઈ તપાસ નથી કરાવી કે આપણાં વર્ષોથી થતા ઈડાના સેવન તથા ઉત્પાદનથી ભારતના લોકોના આરોગ્ય પર એની શી અસર પડી છે તેની પાસેથી આપણે એકદમ કશી આશા શી રાખી શકીએ ? પરદેશી દબાણ તથા પશ્ચિમની જીવનશૈલીના આડેધડ થતા આંધળા અનુકરણનું દુષ્પપરિણામ આજે એ છે કે એન.ઈ.સી.સી. (નૈશનલ એગ કોઓર્ડિનેશન કમિટી) ગભરાયેલી છે અને પૉસ્ટ્રીના ધંધામાં પડેલા ખેડૂતો, હવે, ધંધો બદલવા માટે લાચાર બન્યા છે. આપણને નવાઈ ત્યારે લાગે છે જ્યારે, આ બધાં જ તથ્યોની ઉપેક્ષા કરીને, સરકાર તથા યોજના પંચ, આઠમી પંચવર્ષીય યોજનામાં, પૉલ્ટી ઉદ્યોગ પર ૨૮ અબજ ૩૮ કરોડ ૩૨ લાખ રૂપિયા ખર્ચવાની જોગવાઈ કરી રહી છે ! ૧૯૯૬ના વર્ષમાં ૩૦ અબજ ઈડા અને ૪૦ કરોડ બ્રોઈલરોના ઉત્પાદનનું લક્ષ્ય નકકી થયું છે ! આ નોંધવું જોઈએ કે માંસાહાર, ભલે ગમે તે પ્રકારનો હોય; પણ, એ કામોત્તેજક હોય છે; એટલે, પરિવારનિયોજનની યોજના ઉપર એ સીધો પ્રહાર કરે છે. સરકાર સમક્ષ આ તથ્ય નથી ? પણ, હોય તોયે શું ? સરકાર તો વ્યભિચારને શાબાશી આપવા માટે ધોરી માર્ગો પર આવેલાં ધાબાં (વીશીઓ) પર, વિનામૂલ્ય કંડોમ વહેંચવા લાગી છે ! જ્યાં સુધી સરકાર, મૂળ પ્રત્યે બેપરવાહ રહેશે અને માત્ર પાંદડાંને સીંચશે ત્યાં સુધી દેશના નૈતિક માળખામાં કોઈ ક્રાન્તિકારી/ નોંધપાત્ર પરિવર્તન નહિ થાય. વસ્તુતઃ રાષ્ટ્રીય ચારિત્ર્યને ઉન્નત કરવાના કાર્યમાં, એક સુસ્પષ્ટ તથા ઈમાનદાર આરોગ્યલક્ષી ખાદ્યનીતિનો ફાળો બહુ મોટો હોય છે – આ મર્મને કદાચ રાજનીતિજ્ઞો જાણતા નથી, પણ જાણવો જોઈએ. - પાકીસ્તાનનાં વડા પ્રધાન સુશ્રી બેનઝીર ભુટ્ટો જ્યારે પોતાના દેશને ચેતવણી આપે છે કે એ માંસનો મોહ ઓછો કરે તથા માંસાહાર છોડે, ત્યારે આપણો દેશ નવાં કતલખાનાં ખોલવાનું, જૂનાં કતલખાનાનું આધુનિકીકરણ કરવાનું તથા “વર્લ્ડ પૉલ્ટી કોંગ્રેસના માધ્યમથી દેશમાં માંસાહારના જોરદાર પ્રયાસ - પ્રસારનું આયોજન કરી રહી છે !! શું આ પ્રકારની નીતિરીતિ વિરોધભાસી નથી? શું આપણે, આપણી દુર્લભ જમીનનો, યોગ્ય ઉપયોગ ન કરવો જોઈએ? શું આપણે આપણી ધરતી પર હિંસા, ક્રૂરતા તથા લોહીનો ફાલ ઉતારીને, શાન્તિ, ભાઈચારો તથા ઉન્નતિની સ્થાપના કરી શકીશું? વસ્તુતઃ, આપણે એવી નીતિઓ ઘડવી જોઈએ જેથી આંતરરાષ્ટ્રીય ધૂર્તતાઓ નિષ્ફળ / પરાજિત થાય અને આપણે પશ્ચિમની ખતરનાક યુક્તિઓથી બચી શકીએ. ભારત પર પશ્ચિમનો ખૂની પંજો મજબૂત બનેલો છે - આપણે વિદેશી ચાલને ઓળખી લેવી જોઈએ અને એક વિવેકી, ચારિત્ર્યવાન રાષ્ટ્રની માફક વિશ્વના માર્ગદર્શન માટે આગળ આવવું જોઈએ. ભારત સરકાર જો ઈડાંના ધંધા ઉદ્યોગથી થનારા જાહેર નુકસાનને સમજવાની મરજી ન દાખવે તો સેવાભાવી સંસ્થાઓએ તથા દેશપ્રેમી કાર્યકરોએ આગળ આવવું જોઈએ, સંપૂર્ણ પરિસ્થિતિની તટસ્થ સમીક્ષા કરવી જોઈએ અને તમામ તથ્યોને દિવસના પ્રકાશની માફક જનતાની સામે મૂકવાં જોઈએ. સ્પષ્ટ છે કે જ્યાં સુધી સરકારને સ્પષ્ટ જનાદેશ મળી ન જાય ત્યાં સુધી આ ઈડાં ઉદ્યોગને કશું જ પ્રોત્સાહન - અનુદાન - સહકારાદિ આપવું ન જોઈએ. એક લાલ પ્રશ્નચિહ્ન આપણી સામે છે કે શું આપણે, આપણા પશુધનને, ૨૧મી સદીના પહેલા દાયકામાં છેલ્લા શ્વસા લેતું જોવા માગી છીએ ? શું પર્યાવરણ મંત્રાલયના આંકડા ખોટા છે ? ગાય ભેંસ તો ઠીક પણ ૨૦૧૧ ના વર્ષમાં ભારત પોતાનાં તમામ ઘેટાં – બકરાં નષ્ટ કરી ચૂકયું હશે અથવા એમને મધ્યપૂર્વના દેશોના ભીમકાય પેટમાં પધરાવી ચૂકયું હશે. આ બધું છતાં પણ જો આપણે ચૂપ રહીને આપણા જ પગ પર
SR No.249675
Book TitleIndanu Rajkaran
Original Sutra AuthorN/A
AuthorNemichand
PublisherNemichand
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size258 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy