________________
ઈડાંનું રાજકારણ
- ડૉ. ને મીચંદ ૨જી થી ૮મી સપ્ટેમ્બર, ૧૯૯૬ સુધી રાજધાની દિલ્હીમાં વીસમી “વિશ્વ પૉલ્ટી કોંગ્રેસ'નું આયોજન થયું છે. આ કાર્યક્રમ કુતુબ હોટેલમાં થશે અને એમાં, વિશ્વના લગભગ ૩૦૦૦ પૉસ્ટ્રી નિષ્ણાતો, ધંધાદારી મરઘા-બતકો ઊછેરનારાઓ તેમજ વૈજ્ઞાનિકો અને તંત્ર વિજ્ઞાનીઓ ભાગ લેશે. આ કોંગ્રેસનો આશય પૉલ્ટીશ - વિજ્ઞાન અને ઉદ્યોગને મજબૂત કરવાનો છે – એવા પૉલ્ટી વિજ્ઞાનને મજબૂત કરવાનો આ પ્રયાસ છે જે ભારતને માટે અર્થહીન તથા બેહૂદો છે અને એ સોદો ભારત માટે આર્થિક દ્રષ્ટિએ નુકસાનકારક છે. પ્રસ્તુત પૉલ્ટી કોંગ્રેસ - (મરઘાં - ઊછે૨ની અવનવી પદ્ધતિઓ દ્વારા ઈડાનું ઉત્પાદન વધારવાનો ઉદ્યોગ ચલાવનારાઓનો સંઘ) નો વિષય છે : "તંત્ર વિજ્ઞાન : ગઈકાલ, આજ અને આવતી કાલ.” આ કાર્યક્રમ ભારતમાં યોજવાનો નિર્ણય આઠ વર્ષ પૂર્વે, છેક ૧૯૮૮માં, જાપાનમાં યોજાયેલી ઓગણીસમી “વર્લ્ડ પૉસ્ટ્રી કોંગ્રેસ' વખતે લેવામાં આવ્યો હતો. ૧૯૯૨ના વર્ષમાં નેધરલેન્ડમાં "પોસ્ટ્રી એકસ્પો” નું આયોજન થયું હતું, જેમાં દુનિયાની ૧૦૦૦ કંપનીઓએ ભાગ લીધો હતો. આ કોંગ્રેસ, ભારતમાં એટલા માટે યોજાઈ રહી છે કે એનાથી એશિયા ખંડમાં પૉસ્ટ્રી માટે એક વિશાળ બજા૨ તૈયાર કરી શકાય. આ કોંગ્રેસના યોજકોનો દાવો છે કે એ કોંગ્રેસ ત્રીજી દુનિયાના અલ્પ વિકસિત તથા અવિકસિત દેશોમાં પૉસ્ટ્રી ફાર્મિગ (ખેતી)ને પ્રોત્સાહન આપીને, એ દેશોનો સામાજિક તેમજ આર્થિક કાયાકલ્પ કરશે (કેવી રીતે કરશે, એ તો, એ કોંગ્રેસ, ભારત સરકાર, ખાસ કરીને સ્થાપિત સ્વાર્થને કારણે રાજકારણ ખેલનારા - ફેલાવનારા લોકો જ જાણે) !
આ સંદર્ભમાં, ૨૨ મી ઑગષ્ટ “દૂરદર્શન' પરથી પ્રસારિત થતા “બિઝનેસ બ્રેકફાસ્ટ' કાર્યક્રમમાં • વેંકટેશ્વર ચરિઝ'નાં મેનેજિંગ ડાયરેક્ટર સુશ્રી અનુરાધા દેસાઈના એ ચિંતા સૂચક છે કે "નૅશનલ ઍગ કો
ઓર્ડિનેશન કમિટી (ગિરગાંવપૂણે)ની સ્થિતિ કથળેલી છે અને એ ગંભીર તકલીફમાંથી પસાર થઈ રહી છે. આનો અર્થ એ કે ભારતની જનતાને પોસ્ટ્રી અથવા ઈડાં ઉદ્યોગની પાછળ ચાલતા કાવતરાની તથા તેની પોલની ખબર પડવા માંડી છે. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે એન.ઈ.સી.સી. (નેક) એ ઈડાંના ખોટા પ્રચાર - પ્રસારને માટે છેલ્લાં દશકોમાં કરોડો રૂપિયા ખચ્યા છે. અને જાહેરખબરોની હલકી તરકીબો અજમાવી છે. એણે એવાં નિવેદનો બહાર પાડયાં છે કે જેમને પગ-માથું કયાંય કશું નથી. ખરું જોતાં, જે પૉલ્ટી, કોંગ્રેસ કેનેડામાં થવાની હતી તેને જાણી જોઈને ભારતમાં નિમંત્રણ આપવામાં આવ્યું છે જેથી એન.ઈ.સી.સી. જેવી જાલી કંપનીઓને આશ્રય આપી શકાય. વીસમી વર્લ્ડ પૉલ્ટી કોંગ્રેસ, એ ઈડાંની નિર્મૂળ થતી જતી પ્રતિષ્ઠાને, એક, બિનજરૂરી, સહારો આપવાનો પ્રયાસમાત્ર છે.
સુશ્રી અનુરાધા દેસાઈએ, આ કોંગ્રેસની સરખામણી “ઓલિમ્પિક રમતો' સાથે કરી છે અને કહ્યું છે કે આ કોંગ્રેસ યોજાવાથી, ઈડાં ઉદ્યોગની સ્થિતિ સુધરશે. એમણે ઈડાંને પ્રોટીનથી સમૃદ્ધિ (પ્રોટિનસ) ખોરાક કહ્યો છે; જ્યારે, હકીકતમાં ૧૦૦ ગ્રામ ઈડામાં માત્ર ૧૩.૩ ગ્રામ પ્રોટીન હોય છે અને કુલ કેલેરી ૧૭૩ હોય છે. બીજી તરફ, ૧૦૦ ગ્રામ સોયાબીનમાં ૪૩.૨ ગ્રામ પ્રોટીન હોય છે અને એમાંથી સહજ રીતે જ જરૂર કેલેરી મળી રહે છે. મગફળીને લઈએ તો, ૧૦૦ ગ્રામ મગફળીમાંથી ૧૫.૬ ગ્રામ પ્રોટીન છે અને ૫૬૭ કેલેરી સહેલાઈથી મળી શકે છે. જ્યારે આ પ્રમાણે વસ્ત સ્થિતિ છે ત્યારે ઇંડાંને ‘પ્રોટિનસ' કહીને, કૃષિથી ઉત્પન્ન થતા ખોરાક અંગે ગે૨સમજૂતી કેમ ફેલાવાય છે ? સરકાર, જેનું મુખ્ય સૂત્ર છે “સત્યમેવ