________________
વિરાટના લેખે નં. ૩૭૮ ]
( ર૭૧)
અવલોકન.
હતા. તે જાતે શ્રીમાલી વાણિઓ હો, અને રમણ તેનું ગોત્ર હતું. લેખમાં પહેલાં એમ પણ લખવામાં આવ્યું છે કે અકબરના વજીર ટેડરમલે પહેલાં તેના તાબામાં ગામે સંપ્યાં હતાં.
તે ઈ દ્વરાજે આ દેવાલય બંધાવ્યું અને તેનું નામ “મહદય પ્રસાદ” અયવા “ઈદ્રવિહાર એવું રાખ્યું. (પતાના નામ ઉપરથી આ ભીજું નામ પાડ્યું હોય તેમ લાગે છે) (ઈત્યાદિ '.
ઉપર આપેલાં શ્રીયુત ભાંડારકરના વર્ણનથી આ લેખનું સ્થળ વિગેરે સ્પષ્ટ જણાઈ આવે છે. હવે લેખક્ત હકીકતનું કાંઈક વિશેષ સ્પષ્ટીકરણ જોઈએ –
આ લેખ ૧૧ ૭ લાંબી અને ૧ ૪" પહેલી શિલા ઉપર ૪૦ પંક્તિઓમાં કેતરાએલે છે. ભાષા સંસ્કૃત ગદ્ય છે. જમણું બાજુ તરફ પત્થરને ઉપરનો ભાગ તુટી જવાથી તેમજ ડાબી બાજુએ નીચેનો ભાગ પણ ખરી જવાથી ઘણીક લાઈને અપૂર્ણ જ હાથ લાગી છે. તે પણ જેટલે ભાગ અક્ષત છે તેના ઉપરથી લેખને સાર ભાગ સારી પેઠે સમજી શકાય છે.
પ્રથમ પંકિતમાંના જતા રહેલા ભાગમાં મિતિના માટે વિક્રમ સંવત આપેલ હતું જે બીજી પંકિતમાં શરૂઆતમાં આપેલા ૧૫૯ ના શક સંવત ઉપરથી, ૧૬૪૪ હાય તેમ નિશ્ચિત જણાય છે. ( શક સંવમાં ૧૩૫ ઉમેરવાથી વિક્રમ સંવત્ આવે છે તે હિસાબે ૧૫૦૦ +૧૩=૧૬૪૪; ઈ. સ. ૧૫૮૭ )
ત્રીજી પંકિતથી ૧૦ મી પંકિત સુધી, અકબર બાદશાહ, કે જેના રાજ્યમાં આ લેખ અને એમાં વર્ણવેલું મંદિર તૈયાર થયું હતું તેની પ્રશંસા આપેલી છે. એ પ્રશંસામાં, હીરવિજયસૂરિની મુલાખાત લઈ તેમના મનને સંતુષ્ટ કરવા માટે જીવરક્ષા સંબંધી જે ફરમાન તેણે બહાર પડયા હતા તેમને પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવમી પંકિતમાં વિદ્યમાન રહેલા પાઠ ઉપરથી જણાય છે કે
૬૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org