________________
સેવાડા ગામના લેખે. નંબર ૩૨૩ થી ૩૩૦ સુધીના (૭) લેખે સેવાડી નામના ગામમાં છે. આ ગામ, મારવાડના જોધપુર રાજાના ગોડવાડ પ્રાંતમાં આવેલા બાલી જીલ્લાના મુખ્ય શહેર બાલી નગરથી અગ્નિકેણમાં પાંચ માઈલ દૂર આવેલું છે. આ લેખોની નકલે પણ શ્રીયુત ડી. આર. ભાંડારકર તરફથી જ મળેલી છે. આમાંના પ્રારંભના ૩ લેખે એપિગ્રાફિ ઈન્ડિકાના ૧૧ માં પુસ્તકમા, ઉકત ભાંડારકર મહાશય તરફથી જ “મારવાડના ચાહમાને” એ શીર્ષક નીચે જે વિસ્તૃત નિબંધ લખાયેલું છે તેમાં મુદ્રિત થયા છે. તેથી તેમનું વર્ણન તેમના શબ્દમાં–ઇગ્રેજીના અનુવાદ રૂપે આપવામાં આવે છે.
(૩૨૩). વાડીમાં આવેલા મહાવીર દેવાલયને અગ્રભાગમાં રહેલા ભેંયરાના દ્વારની બારસાખ ઉપર આ લેખ કરવામાં આવેલ છે. તે ઘણે જ જીર્ણ થઈ જવાના લીધે સરલતાથી વાંચી શકાય તેવું નથી.
જ્યારે હું (શ્રીયુત ભાંડારકર) ત્યાં હાજર હતા ત્યારે પુનઃ તેમાં લાખ પૂરવામાં આવી હતી. પરંતુ તેનું કારણ મહારા જાણવામાં આવ્યું નથી. હારા હાથે જ લીધેલી તેની નકલ ઉપરથી શકયતા પૂર્વક લગભગ પૂરેપૂરે લેખ હું વાંચી શકું છું. તે આઠ પંક્તિઓમાં લખાયેલે હેઈ ૨’ ૧” પહોળા અને કફ” લાંબે છે. લિપિ નાગરી છે. ૨ અક્ષર સ્પષ્ટ રીતે તેમાં જણાય છે. જેમ કે વાલિત (પતિ ૧) વાધિપ: (પંક્તિ ૪) વિગેરે. પ્રારંભમાં મેં તથા અંતમાં મિતિ સિવાય આ લેખ સંસ્કૃત પદ્યમાં લખેલો છે. પદ્યની સંખ્યા ૧૫ છે અને તે કમથી અંકેવડે જણાવેલી છે. બીજી પંક્તિમાં વપરાએલે “બાપા” પ્રયોગ ભાષાની દૃષ્ટિએ ખલાયેલ–અશુદ્ધ છે. કેટલેક ઠેકાણે છે અને વ બને તે માટે જ વાપરેલે દષ્ટિગોચર થાય
૬૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org