________________
ગામના લેખે. નં. ૩૩૬ ]
(૨૨)
અવલોકન
આ પ્રમાણમાં મળી આવતા હીલ અગ્નિ-૫ માં રસ
લેખને કેતર્યા પહેલાં પત્થરને બરાબર સાફ કરેલે જણાતું નથી અને અક્ષરે પણ કાળજીપૂર્વક કરવામાં આવ્યા નથી. લેખની લિપિ નાગરી છે. સંસ્કૃત હસ્તલેખમાં જેમ માલૂમ પડે છે તેમ આમાં પણ ૨ ને ના જે લખેલે છે. વળી બીજી પંક્તિમાં આવેલા “ટૂઠ anકા ” શબ્દમાંના ૪ નું રૂપ ધ્યાન ખેંચે તેવું છે, અને તે ન ૩ માં જોયું તેવું જ છે. અંતના એક પદ્ય (જેનું છેદ બરાબર નથી) શિવાય આ લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલે છે. આખા લેખમાં એક ઠેકાણે (પતિ-૫ ) વ ના બદલે ૨ કરેલ છે (ત્રમ ) અને અંત્ય વ્યંજનમાં ૩ ઉમેરે છે, (પક્તિ-૫ માં ય ના બદલે ટુ) ગેડવાડમાં મળી આવતા ગુહીત રાજાઓના તામ્રપત્ર ઉપરના લેખમાં આ પ્રમાણે જ કેટલાક શબ્દો મહે જોયા છે. ત્રીજી પંક્તિમાં આવેલા
પલ” અને “પલિકા ' શબ્દનો અર્થ “ પ્રવાહી પદાર્થો માપવાનું એક જાતનું માપ ” એ થાય છે. આ સંબંધી વિશેષ માહિતી Buruni Indica Vol. I P. 164 માંથી મળી આવશે. આ લેખમાં ટૂંકા શબ્દો નીચે પ્રમાણે છે –. (પંકિત ૩) . ને વિ. (પંકિત ૪ ) ઓસવાલની એક જાતના નામ તરીકે મં. ને અર્થ ભંડારી થાય છે. ૨. એટલે વાત જે રાસપુત્રને અપભ્રંશ છે અને રાજપુત જાગીરરદારેનું એક નામ “ રાવત ” અને આ “રાઉત” બંને એકજ છે. વિ. નું પૂર્ણરૂપ શું છે તે સમજાતું નથી. ત્રીજી પંકિતમાં “ઘાણક” શબ્દ વપરાય છે. જેને અર્થ ‘ઘાણી” (ઘાંચીની ઘાણું ) થાય છે. આ શબ્દ લેખમાં ઘણીવાર દષ્ટિગોચર થાય છે.
આ લેખની મિતિ સંવત ૧૧૮૬ માઘ સુદી પ છે. અને ચાહમાન વંશના મહારાજાધિરાજ રાયપાલના પુત્ર રૂદ્રપાલ અને અમૃતપાલ તથા તેમની માતા માનલદેવીની, આ મંદિરમાં આપેલી ભેટને ઉલ્લેખ કરે છે. દરેક ઘાણીમાંથી રાજાને મળતી અમુક પલિકાઓમાંથી બે પાલિકાની આ ભેટ કરી હતી અને તે નદલડાગિકા (નાડલાઈ) ના તથા બહારના જૈન જતીઓ માટે આપવામાં આવી હતી. આ ભેટમાં નીચે પ્રમાણે સાક્ષિઓ કરવામાં આવ્યા હતા.
૬૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org