________________
કરછના ખાખર ગામને લેખ. નં. ૪૪૬ ] (૩૧૧) અવલોકન, བ་གདན་འ ན་ ་འ ་་ཆ་་ས ་ ་ ་ བ ་ བ སྨནང་་འ བདག་་ ་ང་ བ ་ ་ ་ મહારાજે કહેલી શ્રાવણમાસની વાર્ષિક વ્યવસ્થાવાલી સિદ્ધાંતના અર્થો ની યુતિ સાંભલીને તુષ્ટમાન થયેલા રાજાએ શ્રી ગુરૂમહારાજ પ્રત્યે મહેરબાની પૂર્વક પિતાની મેહાર છાપવાલાં સાત જયપાત્રો આપ્યાં અને પ્રતિપક્ષીને પરાજિત પત્રે એટલે હારવાનાં પત્રો આપ્યાં અને તેવી રીતથી રાજનીતિ બતાવીને રાજાએ પિતાનો ઉત્તમ પ્રકારને ન્યાયધર્મ શ્રીરામની પેઠે સત્ય કર્યું. વળી અમારા ગુરૂમહારાજને એટલે પ્રભાવ તે શું હિસાબમાં છે–કેમ કે જે ગુરૂમહારાજે શ્રીમલકાપુરમાં યાદ કરવાની ઇચ્છાવાલા મૂલા નામના મુનિને જીતેલે છે, તેમજ પ્રતિષ્ઠાનપુરમાં યવનેને મોડેથી પણ શ્રી જૈનધર્મની જેમણે સ્તુતિ કરાવેલી છે; વળી એટલામાં આવી મળેલા એવા સેકડે ગમે બ્રાહ્મણોને યુકિતઓ દેખાડીને જેમણે જીતેલા છે તેમજ બેરિદપુરમાં વાદીઓના ઉપરી એવા દેવજીને જેમણે માન કરાવેલું છે. ૧. વળી જેમણે જનની ન્યાયવાણીથી દક્ષિણદેશમાં આવેલા જાલણ નગરમાં વિવાદપદવી પર ચડાવીને દિગમરાચાર્યને કહાડી મુકેલે છે, તેમજ રામરાજાની સભામાં જેમણે આત્મારામ નામના વાદીશ્વરને હરાવેલ છે, એવા તે ઉત્તમ બુદ્ધિવાલા શ્રી વિવેકહર્ષ ગણિ મહારાજ પાસે રાજા પણ શું હિસાબમાં છે. ૨. વળી અમારા શ્રી ગુરૂમહારાજના મુખમાંથી નીકળેલા મહાન શાસ્ત્ર રૂપી અમૃતના સાગરમાં લીન થએલા શ્રી ભારમલજી મહારાજાએ શ્રી કષભદેવ પ્રભુની ઘણી માન્યતા ધારણ કરી. તથા તેમની ભકિત માટે તે શ્રીભારમલ્લજીએ ભુજ નગરમાં રાજ વિહાર નામનું અત્યંત અદભુત શ્રીજિનેશ્વરનું મંદિર બંધાવ્યું. ૩.
હવે સં. ૧૬૫૬ની સાલમાં શ્રી કચ્છદેશની અંદર રહેલા જેસલા મંડલમાં વિહાર કરનારા શ્રી ગુરૂમહારાજે ઘણાંક ધન્ય ધાન્યથી મને નહર થએલા એવા શ્રી ખાખર ગામને પ્રતિબંધીને સારી રીતનું ધર્મક્ષેત્ર બનાવ્યું કે જ્યાંના રાજા મહારાજા શ્રી ભારમલ્લજીના ભાઈ કવર શ્રી પંચાણુજી હતા કે જેમણે મદયુકત અને પ્રબળ પરાક્રમે કરી દિશાચકને દબાવ્યું હતું તથા જે સૂર્ય સરખા પ્રતાપ અને
૭૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org