________________
પ્રાચીન જેનલેખસંગ્રહ. (૩૦૮ ) [કચ્છના ખાખર ગામના લેખ. . ૪૪૬
રાયપુર બંદરમાં કર્યું. તે દરમ્યાન તેમણે તત્કાલીને કચછના રાજા ભારમલજીને પિતાની વિદ્વત્તાથી રંજિત કરીને તેની પાસેથી કેટલાક વિશેષ દિવસેમાં જીવહિંસા બંધ કરાવાને અમારી પડહ વજડા, સંથા રાવ ભારમલજીએ ભુજ નગરમાં “રાયવિહાર' નામે એક સુંદર જનમંદિર પણ બંધાવ્યું. ભુજ નગરથી વિહાર કરી પં. વિવેક હર્ષ ગણિ કચ્છના જેસલા નામે મંડળ (પ્રાંત)માં ગયા અને ત્યાં ખાખર ગામના સેકડે એસવાલને ધર્મોપદેશ આપી શુદ્ધ શ્રાવકના આચાર વિગેરે શિખડાવી પૂર્ણ શ્રદ્ધાવાન કર્યા. તે વખતે, ત્યાં આગેવાન સાત વયરસિક કરીને હવે તેણે ઘઘરગેત્રવાળા શા. શિવામથી આદિની મદતથી તપાગચ્છના યતિઓને રહેવા માટે એક નવીન ઉપાશ્રય કરાવ્યું. તથા, ગુજરાતમાંથી સલાને બોલાવી કેટલીક જિનપ્રતિમાઓ તૈયાર કરાવી અને સં. ૧૬૫૭ ના માઘ સુદિ ૧૦ સોમવારના દિવસે પં. વિવેકહર્ષગણિના હાથે તેમની પ્રતિષ્ઠા કરાવી. પછી તેજ ગામના બીજા શ્રાવકેએ મળીને એક બીજું મંદિર બંધાવવું શરૂ કર્યું. એની સમાપ્તિ સં. ૧૬૫૯ના ફાગુણ વદિ ૧૦ના દિવસે થઈ. તદનંતર તેજ માસની સુદિ ૧૦ ના દિવસે ઉકત પંડિતજીએ તેની પ્રતિષ્ઠા કરી અને તે મંદિરનું “શત્રુજયાવતાર ” એવું નામ સ્થાપન કર્યું. આ પ્રમાણે આ લેખનો સંક્ષિપ્ત સાર છે. અક્ષરાર્થ ઉકત “વત્તા gષમારા ”માં, (જે પં. હીરાલાલ હંસરાજને કરેલે છે) નીચે પ્રમાણે આપેલે છે.
“વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, નાટક, સંગીત, જોતિષ, છંદશાસ, અલંકારશાસ્ત્ર, કઠિન એવાં તર્કશાસ્ત્ર, શિવમતનાં શાસ્ત્ર, જિનમતનાં શાસ્ત્ર, ચિંતામણિના મતનું પ્રચંડ ખંડન કરનારાં શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, સ્મૃતિશાસ્ત્ર, પુરાણશાસ્ત્ર, વેદશાસ્ત્ર તથા શ્રુતિની પદ્ધતિનાં છ
૧. આ ભાષાંતર, અસંબદ્ધ છે. “ચિંતામણિ અને પ્રચંડ ખંડન (એટલે “ખંડન ખાદ્ય”) શાસ્ત્ર ”. એમ જોઈએ.-સંગ્રાહક.
૭૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org