SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન ૫ એવી ભેટ ધરવાની મહત્ત્વાકાંક્ષા છેડે જ છૂટકા છે. આપણા ગુરુવર્ગ બાળદીક્ષા મારફત જો સમાજ, રાષ્ટ્ર કે જગતને કાંઈ અને કાંપ્ર આપવા જ માગતા હેાય તે તેણે પેાતાના જીવનમાં અસાધારણ ત્યાગ, વિશાળ જ્ઞાન અને ચિત્તની વ્યાપક ઉદારતા કેળવે જ છૂટકા છે. અને તે માટે તેમને આજનું વાતાવરણ બદલ્યા વિના ચાલી શકે તેમ જ નથી. એટલે ઝઘડા દીક્ષા આપવા ન આપવાના નથી પણ અત્યારના ક્ષુદ્ર વાતાવરણને અદલવા ન બદલવાના છે. મ્હાડેથી એમ તેા કહેવાય જ નહિ કે અમારી પરિસ્થિતિ અને અમારું વાતાવરણ કેટલું ક્ષુલ્લક છે ( જો કે સહુ મનમાં તે જાણે જ છે) એટલે બહારથી દીક્ષા આપવાની વાતા થાય છે. વિશ્વમાં દીક્ષાનું સ્થાન શું છે' એ પ્રશ્નના ઉત્તર વાતાવરણમાં છે. જો ત્યાગીઓને રહેવા, વિચરવા, શીખવા, કામ કરવા અને આખી દિનચર્યા ગાઠવવાનું વાતાવરણ ઉદાત્ત હાય તા, વીશ વર્ષના, દશ વર્ષના. અને પાંચ વર્ષના સુદ્ધાંને દીક્ષામાં સ્થાન છે. અને જો વાતાવરણ એદી તથા ખીસ્ક્યુ હેય તે, તેમાં સાઠ કે એશી વર્ષના મુટ્ઠી દીક્ષા લઈને કાંઈ ઉકાળવાનેા નથી, એ વાત ત્યાગીની સફળતા, નિષ્ફળતાના ઈતિહાસ આપણને જણાવે છે. જગત આખામાં, અને ખાસ કરી આપણા દેશમાં અને સમાજમાં તે ત્યાગીઓની ભારે જરુર છે. સેવા માટે ઝખનાર આપગ્રસ્ત લેાકા અને પ્રાણીઓને પાર નથી. સેવા શાખ્યા જડતા નથી. ત્યારે પછી દીક્ષાના વિરાધ કેવી રીતે હાઈ શકે? વિરાધ તા દીક્ષા લેનારમાં જ્યારે સેવકપણું મટી સેવા લેવાપણું વધી જાય છે ત્યારે જ ઉભા થાય છે. એટલે દીક્ષાના પક્ષપાતી જો તેના વિરાધીઓનું મ્હાંડું પ્રામાણિકપણે અને હંમેશને માટે બંધ જ કરવા માગતા હોય, અને પેાતાના પક્ષને ખરીદેલે નહિ પણ સાચાજ વિજય માગતા હોય તેા, તેમની ક્રૂજ એ છે કે તેઓ દીક્ષાને સેવાનું સાધન બનાવે. કોઈ એમ ન કહે અને . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249642
Book TitleVishvama Dikshanu Sthan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size818 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy