________________
-
૩૮]
શ્રી જી. . જૈન ગ્રન્થમાલા દષ્ટાંત-જેમ એક સોનીને કંઠી ઘડવાની ઈચ્છા થઈ. જે તે પ્રબળ પરિણામી ન હોય તે સેનાને અભાવે વા સાના અભાવે કંઠીનું કાર્ય થઈ શકતું નથી, પણ જ્યારે પ્રબળ ઈચ્છા થાય છે, ત્યારે તનતોડ પ્રયત્ન કરીને કાર્ય કરવા ઉત્સુક બને છે. આથી કાર્ય કરવાની દઢ ઈચ્છાસંક૯૫ તે “ગામ નય.” નિગમ શબ્દનો અર્થ સંક૯પ પણ થાય છે. સંકલ્પ માત્રને વિષય કરવાવાળે નૈગમ નય કહેવાય છે. કાર્ય કેમ કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન નથી (ગમ નથી), છતાં પ્રબળ અને સારી ઈચ્છા જ એને કાર્ય તરફ દેરે છે–પ્રેરે છે– લઈ જાય છે. સારી પ્રબળ ઈચ્છા તે કનૈગમ નય.” તે ઈચ્છાની પ્રેરણાથી વ પાવરથી સાધનસામગ્રી (એરણ, હડી, અગ્નિ વગેરે)ને સંગ્રહ કરતા જાય તે “સંગ્રહ નય.” પહેલે નય બીજા નય સુધી કાર્યને સાધક સહાયક થાય તે તે નય. તેમ ન થાય તે પહેલે નય તે નયાભાસ બને છે. એમ ત્રીજાને, ત્રીજે ચેથાને પરંપરામાં સહાયક બને, આગળ લઈ જનાર પ્રેરક બને, ત્યારે ત્યારે પ્રેરક બનનાર પાછળને નય, નય કહેવાય. પરંતુ જ્યારે જ્યારે વા જ્યારથી પ્રેરક બનતે અટકી જાય, ત્યારે ત્યારે તે તે નય નયાભાસી (નિષ્ફળ પરિણામી) બનતા જાય. સાધનસામગ્રી તૈયાર થઈ જાય ત્યારે “ વ્યવહાર નય” કહેવાય. આ ત્રણ નય વ્યવહારના વા નિમિત્તકારણના ન કહેવાય છે. વ્યવહારના છ ભેદ છે-શુદ્ધ, અશુદ્ધ, શુભ, અશુભ, ઉપચરિત અને અનુપચરિત. આ છમાંથી જે વ્યવહાર (સાધન-સામગ્રી) પોતાની પ્રબળ પ્રેરણાથી ઉપાદાનને જાગ્રત કરીને સહાયક બને તો જ શુદ્ધ વ્યવહાર કહેવાય; નહિતર અશુદ્ધ વ્યવહારના નામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org