________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૭૩ પોતાના શુદ્ધ આત્માને મૂકીને કેઈ સ્થળે, કઈ કાળે, કેઈ પણ પ્રકારે શુદ્ધ નિશ્ચયનય બીજાને સ્પર્શ કરતે નથી; છતાં વ્યવહારનું આલંબન લઈ નિશ્ચયમાં પહોંચે છે. આમ વ્યવહારના આલંબનને લઈ નિશ્ચય વર્તતો હોવાથી તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે.
બહારથી જે વસ્તુ આવેલી હોય તે તરફ નજર રાખીને વ્યવહાર બેલે છેત્યારે નિશ્ચય અંદરમાં પિતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાત કરે છે.
નિશ્ચયમાં જ લીન થયેલા મહાત્માઓને જે ક્રિયાઓ અતિ પ્રયોજનવાળી નથી, તે જ ક્રિયાઓ વ્યવહારમાં રહેલાને અતિ ગુણકારી છે. પાંચમા અને છઠા ગુણસ્થાનકે વ્યવહારની મૂખ્યતા અને નિશ્ચયની ગૌણતા હોય છે, જ્યારે અપ્રમત્ત આદિ ગુણસ્થાનકથી માંડી નિશ્ચયથી મૂખ્યતા હોય છે.
વ્યવહારનયને જાણી આદર્યા વિના નિશ્ચયનય આદરવાની ઈચ્છા કરવી એ અનુપાગી છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની પ્રાપ્તિ કદી પણ થતી નથી.
સ્થૂલ મલિનતાવાળાને વ્યવહાર-કિયા ઉપયોગી છે. વૃત્તિઓમાં રહેલી સ્કૂલ મલિનતા ઉત્તમ વ્યવહારવાળા દાન, તપ, જપ, વંદન, પૂજન, દયા આદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂક્ષ્મ મલિનતા વિવેકદષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે.
ક્રિયામાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય પોતાના મન-વચનશરીરને વ્રત-તપ-જપાદિ યમ-નિયમમાં અહર્નિશ પ્રવ
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org