________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૬૯.
પરમાર્થસૂચક વસ્તુ વિચાર સંગ્રહ
આત્મિક ઉન્નતિ કરવાને, આત્માની શક્તિ ખીલવવાને અને આત્માના સામાન્ય અને વિશેષ ગુણે ખીલવવાને શબ્દાર્થપૂર્વક ધામિક જ્ઞાનની અત્યંત જરૂર છે.
શબ્દ અને અર્થ ઉપર વિચાર કર્યા વિના ભાગરૂપે પ્રકાશ બહાર આવતું નથી અને ભાવરૂપ પ્રકાશ બહાર આવ્યા વિના મનુષ્યને યથાર્થ જ્ઞાન થતું નથી.
નવ તત્વના યથાસ્થિત અભ્યાસ સિવાય તત્વશ્રદ્ધા થવી મુશ્કેલ છે.
સમ્યક્ શ્રદ્ધા સિવાય સમ્યગૂ જ્ઞાન થઈ શકે નહિ, સમ્યગજ્ઞાન સિવાયની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં જાય છે અને અંધશ્રદ્ધાથી અથવા મિથ્યા શ્રદ્ધાથી આત્મા શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી.
જ્ઞાન જ્ઞાન તરીકે સાધ્ય નથી, પણ ક્રિયાના સાધન તરીકે સાધ્ય છે.
જૈનદર્શન જ્ઞાનને જ્ઞાન તરીકે માનતું નથી, પણ જ્ઞાન આચરણમાં મૂકવા માટે માનવામાં આવે છે.
જ્ઞાનનું-જાણવાનું ફળ એ જ કે-અનર્થથી બચવું અને ઈષ્ટનું સંરક્ષણ કરવું. આથી જ કહ્યું છે કે-જૈનદર્શનમાં જ્ઞાન જ્ઞાન માટે નથી.
શાસ્ત્રાદિનું પઠન એ દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપનું જાણવું તે ભાવજ્ઞાન છે. સમ્યકત્વ વિના ભાવજ્ઞાન થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org