________________
૧૫૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
કા માં વ્યાવૃત હોય ત્યારે અન્ય વિચારને મૂકી દેવા અને જો મનમાં અન્ય વિચાર ઉત્પન્ન થાય તે તરત જ તેમાંથી પેાતાનું મન નિવૃત્ત કરવું-ખેંચી લેવું. કોઈ પણ વિચાર અલાત્કારે મનમાં આવે તે તેનાથી આગ્રહૅસહિત પાછું ફરવું, અર્થાત્ પ્રત્યુત્તર નહિ વાળતાં તે વિચારને સૂકી દેવાકાઢી નાંખવા. જરૂર જણાય તે શાંતિ પ્રાપ્ત કરવાના કારણરૂપ શૂન્યની ( આકાશની ) પના કરવી. કેવળ શાંતતા તથા અધકારના અનુભવ કરવાના યત્ન કરવા. આ પ્રમાણે જો આગ્રહસહિત અભ્યાસ કરવામાં આવશે, તેા નિવૃત્તિ અધિકાધિક સુગમ થશે અને સ્વસ્થતા તથા શાંતિ મળશે.
ખાદ્ય ભાવની પ્રવૃત્તિઓમાંથી મનને વ્યાવૃત્ત કરવું, એ ઉત્તમ ભૂમિકાના પ્રાર’ભની નિશાની યા પ્રસ્તાવના કરવા જેવું છે. મનને શાંતિ આપવાના સરળ મા-મનને અથવા મગજને વિશ્રાંતિ આપવાના અનન્ય માર્ગ અને તે વળી ચિત્તવૃત્તિની નિવૃત્તિ કરતાં ઘણા સહેલા માગ વિચારનું પરાવર્તન કરવાના છે. એક જ શ્રેણિને અનુસરીને જે મનુષ્ય નિર'તર આગ્રહસહિત વિચાર કરતા હોય, તેણે અને તેટલી તેનાથી કેવળ ભિન્ન પ્રકારની એક અન્ય વિચારશ્રેણિ રાખવી જોઇએ, કે જે શ્રેણ ઉપર તે પેાતાનું મન વિશ્રાંતિ માટે પરાવન કરી શકે. જેમકે-દ્રવ્યાનુચેાગના વિચાર કરનારે મગજ અથવા મનની વિશ્રાંતિ માટે તે વિચારશ્રેણિ મૂકી દઈ થાડા વખત કથાનુયોગ ( મહાપુરૂષાનાં ચરિત્રા)ના વિચારની શ્રેણિને અગીકાર કરવી : અથવા ધ્યાનસમાપ્તિ કર્યાં પછી જેમ ખાર ભાવના સંબધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org