SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાથિ લેખસંગ્રહ [ 171 ગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગુણી વિશુદ્ધિ હોય છે અને તેના જઘન્યથી માંડી ક્રમશઃ ચડતા ચડતા અસંખ્યાતા સ્થાનકે કહ્યા છે. કહ્યું છે કે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિને પ્રાપ્ત કરતે પૂર્વકમે વિશુદ્ધિના અનેક સ્થાને પર આરૂઢ થાય છે-ચઢે છે અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયને ક્ષપશમ કરે છે તેથી તેને અ૫ અ૫ પાપવ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. અહીં પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોવાથી સર્વથા પાપવ્યાપારને ત્યાગ હેત નથી. કહ્યું છે કે-સર્વથા પ્રકારે પાપ વ્યાપારને ત્યાગ કરવાની ઈરછા છતાં પણ તેને દબાવે છે તેથી પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. એ રીતે દેશવિરતિના સ્વરૂપવિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહે છે. કાર્ય-કારણના નિયમ કર્મને સામાન્ય અર્થ-કરાય તે કર્મ. આ અપેક્ષાએ કાર્ય થાય છે. આ કાર્ય માત્રને કારણ હોવું જોઈએ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાર્ય છે અને તે જ કાર્ય ભવિષ્યમાં થવાના કાર્યનું પાછું કારણ થાય છે. આ પ્રમાણે જેમાં દરેક કર્મ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય– કારણ સંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249591
Book TitleChaturtha Avirti Samyagdrushti ane Pancham Deshvirti Gunsthan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size574 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy