________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૭૧
આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી તથા વર્તમાનકાળે અનુભવ કરી લેવાથી સત્તામાં રહેલા કર્મો પણ ઓછાં થતાં જાય છે. આ સર્વ કહેવા ઉપરથી એ નિર્ણય થયો કે (૧) મિથ્યાત્વવાળી અજ્ઞાનદશાથી આવતાં કર્મ પુદ્ગલ સમ્યગ્દર્શનથી
કાય છે, (૨) અવિરતિ-ઈચ્છાઓથી આવતાં કર્મપુદ્ગલે ઈચ્છાને નિરોધ કરવારૂપ વિરતિથી રેકાય છે, (૩) કોધ, માન, માયા અને લોભથી આવતાં કમ્પુગલે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષથી રેખાય છે, અને (૪) મન-વચનશરીરથી આવતાં કમપુલ મનાતીત, વચનાતીત, કાયાતીતરૂપ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી રોકાય છે.
આવતાં કમને રોકવા તેને “સંવર' કહે છે. પૂર્વના સત્તામાં જે કર્મો હતાં તેને શરીરાદિવડે ભેગવી લેવાથી અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી ફળ આપવાના સ્વભાવથી વિખેરી નાખવામાં આવે છે, તેને “નિજરા” કહે છે. આ પ્રમાણે મહેનત કરવાથી કર્મયુગલોને આત્મા સાથે સંબંધ છેડી શકાય છે યા છૂટે કરી શકાય છે. દેહમાં કે ભવમાં ટકાવી રાખનાર આ સર્વ કર્મોને આત્મપ્રદેશ સાથે સંબંધ સર્વથા છૂટે કે તેનું નામ બંધનમુક્તતા અર્થાત્ “મોક્ષ છે.
આ કર્મોના આવરણે દૂર થવાથી આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાય છે. જેમ આંખ પાસેના અમુક ભાગના આવરણે ખસી જવાથી આંખથી ઘણા દૂરના પ્રદેશ પર્યત જોઈ શકીએ છીએ, તેમ આત્માના તમામ પ્રદેશ ઉપરથી આ શક્તિઓને રોકનાર કર્મયુગલે નીકળી જાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org