SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) શ્રીયુત પડિત લાલનનું ભાષણ. આધ્યાત્મિક સાહિત્યના અભ્યાસીઓ બહિરાત્મા, અંતરાત્મા અને પરમામાની વાત તે સારી પેઠે જાણતા હશે. જેનસિદ્ધાંતે ઠામ હમ નેબત વગાડીને જાહેર કર્યું છે કે પ્રત્યેક જીવ પોતાના નશીબને સદ્ભાગ્યને કે દુર્ભાગ્યને વિધાયક છે. પોતાની કૃતિથી જ તે પોતાને માટે નરક રચે છે અથવા નરકમાં ઉતરી પડે છે અને પોતાની કૃતિથી જ ઉંચામાં ઉંચા સ્વર્ગ ઉપર આરહણ કરી શકે છે; એટલું જ નહીં પણ આત્મબળે કર્મ જાળને છેદી નાંખી સકળ સંસારસમુદ્રની પેલી પાર એવા એક્ષ-મહા આનંદમય સ્થિતિને પામી શકે છે. વસ્તુત: જેનદ્રષ્ટિએ મનુષ્ય કે ઇતર પ્રાણીઓનો નિયંતા પોતાની જ અંદર રહેલ ઇધર-આત્મા છે; અર્થાત પિતાના સિવાય બીજું કેઈ નથી. આ રીતે જૈનદર્શન પુરૂષાકાર કે આત્મબળવાદી છે. યજ્ઞામાં પશુના બલિદાનથી કે કેઇ એક તારણહારના ભોગથી જેને પોતાની મુક્તિ થશે એમ માનતા નથી. પોતાને જન્મ જન્માંતરની સાંકળે બાંધનાર અથવા છોડનાર જા કેઈ હોય તો તે પોતાના જ આત્મા છે. જૈન સાહિત્ય, ખરું જોતાં, પંચ કારણને સ્વીકાર કરવા છતાં મુખ્યત: આત્મબળ અથવા આત્મપ્રભાવ બતાવનારૂં સાહિત્ય છે. જેન સાહિત્યને આત્મા જ સ્વાવલંબન છે એમ કહું તે અતિશયોક્તિ નહીં ગણાય. જેમના સાહિત્યમાં, આચારમાં ને વિચારમાં આવે પુરૂષાકાર, સ્વાવલંબન ભર્યો હોય અને જેનસમાજ કેવળ-એકાંતે કર્મવાદી ગણાઈ જાય અથવા તો તેમના પર એ આક્ષેપ લાવવામાં આવે એ શું સમયની જ બાલહારી નથી ? કમગ્રંથોનો અભ્યાસી સહેલાઈથી જઈ શકે એમ છે કે જે કર્મને અર્થ નસીબ કે એ જ કઈ થતો હોય તે જીવ તેને જીતી શકે નહીં અને જે જીતી ન શકે તે તે જિન કે જેને શી રીતે થઈ શકે ? હું જેટલું જઈને વિચારી શકો છું તે પરથી મને તો એમજ લાગ્યું છે કે પિતાના ભાગ્યને પારનો હું ત્યાગ કરું છું, રવિ નિધિ મન, વચન અને કાયાના યોગથી કઈ પણ પાપ કાર્ય ન fમ જાઉઝ તમfજ અન્ન ન સમgrgrfમ કરું નહી, કરવું નહીં, કરનારને અનુમોદન આપુ નહીં. આ નિયમ યાવતજીવન પાળીશ- નાપsીવાળ અને આમ કરતાં ભૂલું તો તુર્તજ હિમrfમ મા શુદ્ધ સ્વરૂપમાં પાછા ફરું, અને તરસ નિરામ-એ વૃત્તિને બિંદુ, ગુરૂસાક્ષીએ રિમિ-ગર્યું, જurળ રિ મિ અને દેહાત્મભાવને સર્વથા ત્યાગ કરું છું. આમ મુનિઓ જીવન પર્યત અને શ્રાવકે પિતાના નિત્યકર્મમાં ઓછામાં ઓછું બે ઘડી કે એક મુહૂર્ત પર્યત સામાયિક બેગ કે સમાધિ પાન કરે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.249578
Book TitleJain Sahityani Hitavah Disha
Original Sutra AuthorN/A
AuthorFattehchand K Lalan
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy