SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન મંત્રીઓ પિતાના શમરી (અજમેર) મરસ્થલી (મારવાડ) મેદપાટ (મેવાડ) જ્વાલાપુર વિગેરે સે રાજાને જીતીને મૂurફાતરિત થયો હશે. ગુજરેશે પણ અંતે પિતાની ભૂલ સ્વીકારી. અને તેને મનાવવા ખાતર છત્રચામર ૧ મેકલાવ્યાં. પોતાની ભુલને રાજાએ પશ્ચાતાપ કર્યો અને વિમલે પણ પિતાના રાજાની ભેટ સહર્ષ સ્વીકારી. વિમલની કીર્તિ હવેથી એક રાજવી તરીકે પ્રસરી અને તે ચંદાર અને ચંદ્રાવતીશ આદિ બીરૂદેથી પ્રસિદ્ધિ પામે. આવી રીતે વિમલ ચંદ્રાવતીમાં રહી રાજ્ય કરી રહ્યા હતા તેવામાં ત્યાં શ્રી ધર્મઘોષસૂરિ પધાર્યા. તેમણે ચંદ્રાવતીશને ખૂબ ઉપદેશ આપ્યો અને તેના આગ્રહથી તે ત્યાં ચોમાસું રહ્યા. સુરીશ્વરના નિરંતર ઉપદેશથી વિમલને ધર્મ ઉપર અડગ શ્રદ્ધા બેઠી. ગુએ પણ તે શ્રદ્ધાને બરાબર યોગ જોઈ લાભ લીધે અને વિમલને કહ્યું કે અત્યાર સુધીની આખી જીંદગી અર્થ અને કામમાં ગાળી છે માટે હવે કાંઈક ધર્મકાર્ય કરે, પરલોકને માટે કાંઈક ભાથું બાંધે. વિમલને પણ તે ગળે ઉતયું. અંદગીનાં કામે તેને સાંભર્યા. તેણે કહ્યું, ગુરુદેવ આપ કહે તેમ કરવાને તૈયાર છું. ગુએ કહ્યું આબુ ઉપર આપણું એક મંદિર નથી માટે ત્યાં મંદિર બંધાવ. વિમલે તે વાત ખુશીથી સ્વીકારી અને તે દ્વારા પિતાના પાપને ધોઈ નાખી-નિર્મળ થવા પ્રયત્ન આદર્યો. વિમલે આબુ ઉપર જઈ એગ્ય જગા જોઈ અને તેના પુજારીઓની પાસે જમીનની માગણી કરી, પરંતુ તેમાં કંઈ ફાવ્યો નહિ. પછી તેણે પિતાની સત્તાના બળે જમીન લીધી, પરંતુ પુજારીઓને ખૂબ સમજાવી પુજારીઓના કહેવા પ્રમાણે ન્યાયસર પિતાને જેટલી જમીન જોઈતી હતી તેટલી જમીન સુવર્ણ ટંકાથી પુરી વેચાતી લઇ મંદિર બંધાવવું શરૂ કર્યું. વિમલે તે મંદિરમાં અઢળક દ્રવ્ય વાપરી ઉત્તમ શિલ્પકળાના નમુના રૂપ ભવ્ય, મનેહર, વિશાળ, જિનચૈત્ય બંધાવ્યું. વિમલ ભલે અત્યારે જેતે નથી પરંતુ તેના નિર્મળ આત્મા સમું આ મંદિર તેની કીતિને હજી પણ જવલંત ભાવે પ્રકાશી રહેલ છે. તે મંદિરનાં ગગનચુંબિ શિખર ઉપરની ધ્વજાઓ હજી પણ વિમલના યશપ્રવાહના ઝંકાર ફડફડાટ દ્વારા, જગતને સુણાવી રહેલ છે. અત્યારે વિમલનાં મંદિર જગપ્રસિદ્ધ છે. તેની ઉત્તમ શિલ્પકળાને નમુને ભારતવર્ષમાં બીજે મળો અલભ્ય છે બકે નહિ મળે. તે મંદિરમાં બેસાડવા માટે તેણે અઢાર ભાર પિત્તળની આદિનાથ પ્રભુની (જૈનેના પ્રથમ તિર્થંકર-દેવ) પ્રતિમા કરાવી, અને સં. ૧૦૦૮ માં પોતાના પરમ ગુરુ શ્રી ધર્મશેષ સૂરી પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. જ્યારે આબુ ઉપર મંદિર પૂર્ણ થયું અને પ્રભુને પધરાવી પ્રતિષ્ઠા સ્થાપન કરાવી તે વખતે તેણે ભાટ ચારણેને પુષ્કળ દાન આપ્યું હતું. આ દાનનું મનહર વર્ણન કવિ લાવણ્યસમય બહુ લંબાણથી આપે છે. પરંતુ તે જ ભયે એ અહીં નથી આપ્યું. આવી રીતે જે નગરમાં પિતે રહેતો હતો તેમાં પણ તેણે ઘણું ભવ્ય અને ગગન ૧ કથાકેલ અને પ્રબંધસંગ્રહમાં લખ્યું છે કે વિપત્તમાન જીવવામનહિ હા જતિ કૃતઃ વિમઃ જુઓ વિમલપ્રબંધ પૃષ્ટ ૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249574
Book TitleJain Mantrio
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size879 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy