SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ભૂગલ ૧૧૧ મેની ભૂમિ તે સમપ્રદેશનું ઉત્તર સ્થાન છે અને સૂર્ય ઉગે તે દરેક પ્રદેશ માટે પૂર્વી દિશા છે. તેથી અમુત્તરે . આ માન્યતા સત્ય પાઠને ભજવે છે. (મારામ ૨૦૨) મેના સ્વરૂપ માટે પુરાણમાં જુદા જુદા મત છે. જુઓ-મેરુ ગાયના પુચ્છ જેવો છે, (વિષ્ણુ પુરાણુ). ધતુરાના કુલ જેવો છે, (પદ્મપુરાણ), ચેખુટે છે, (ભાગુરી). અષ્ટકેણુ છે, (સાવરણ). સાત ખુટે છે, (અત્રિ). સહસ્ત્ર ખુટે છે, (ભગુ). ગુંથેલા વાળ જેવો છે, (ગાર્ગી). ગોળ છે, (અન્ય). ખુટે છે, (મસ્ય પુરાણ ). ઈલા વર્ષમાં ચાર દેવધાન છે. જેમાં સિદ્ધ ચારણો વિચરે છે. આ દરેક ક્ષેત્રે પૈકીના દક્ષિણ અને ઉત્તર અને ક્ષેત્રે ધનુષ્ય કામઠીના આકારે છે. (પદ્મપુરાણ ભૂમિખંડ અધ્યાય ૧૦૧. નૃસિંહપુરાણ કે અધ્યાય ૩૦ ) વહિન પુરાણમાં ક્ષેત્રનાં નામે ઉપર પ્રમાણેજ દર્શાવ્યા છે – उत्तरा कुरवोरम्यं वर्ष हैमवतं तथा भद्राश्व केतुमालं च तथा वर्षमिलावतं ॥ १ ॥ भारत हरिवर्ष च तथा किंपुरुषावृतं एतान्याहौतु वर्षाणि પુનિ થિતરિ તુ / ૨ / તિલકકૃત મૃગશીર્ષમાં પણ એ જ નામે મળે છે. અર્વાચીન શોધકે પણ સમુચિતપણે ૪૯૩૨૦૦૦૦ માઈલ પૃથ્વી તથા તેથી ચાર ગણું સમુદ્ર હોવાનું કહે છે. આ જંબુદીપની ચેતરફ લપેટાયેલ ચુડીની જેવો બે લાખ યજનને ખારો લવણ સમુદ્ર છે તેમાં મનુષ્ય નિવાસના પદ દીપે છે. લવણું સમુદ્રનાં કેટલાંએક માછલીઓ રાક્ષસી કદનાં હોય છે. લવણું સમુદ્રની ફરતે ચાર લાખ એજનને ઘાતકી દીપ છે. આ દ્વીપમાં પણ પૂર્વ પશ્ચિમમાં બે મેરુ પર્વત છે અને જબુદ્દીપની પેઠે જ ઉત્તર દક્ષિણના વિભાગે બે મેરુનાં બબ્બે ક્ષેત્ર અને પર્વત છે. તેમાંના દરેક ક્ષેત્રમાં મનુષ્યો વસે છે. ઘાતકી દ્વીપની ફરતે આઠ લાખ જનને કાલેદધિ સમુદ્ર છે, જ્યાં તદ્દન કાળું પાણી હોય છે. તેની પિલીપાર ગોળ વીંટાયેલો પુષ્કરવર નામે દ્વીપ છે. જેની અધવચમાંજ ફરતો ચક્રાકારે ૧૭૨૧ જન ઉંચો ભાનુષોત્તર પર્વત છે. આ કારણથી હીપનો અર્ધ ભાગ પર્વતની બહાર અને અર્ધ ભાગ અંદર રહે છે. એટલે આ દ્વીપને અર્ધ પુષ્કરાવતેના નામે ઓળખાવાય છે. આ દ્વીપનો અંદરનો અર્ધ ખંડ પૂર્વ પશ્ચિમના બે મેરનાં ક્ષેત્રે, નદીઓ, પર્વત અને મનુષ્યોથી વિભૂષિત છે. ઉપર પ્રમાણે માનુષોત્તર પર્વતના મધ્ય ભાગમાં ૧ જબુદ્વીપ ૧ ઘાતકીખંડ અને બે પુષ્કરવર એમ રા દ્વીપ છે. તેમાં મનુષ્ય તથા તિર્થ જન્મે છે વસે છે અને મરે છે. અને તેની ફરતા બીજા અસંખ્ય દીપે છે. તેમાં માત્ર તિર્યો હોય છે જેથી મનુષ્ય ક્ષેત્ર એ સંજ્ઞામાં રા દ્વીપનો સમાવેશ થાય છે. પુષ્કરવર દ્વીપની ફરતે પુષ્કરવર સમુદ્ર છે અને તેને વીંટીને ચારે બાજુ વાણી દીપ રહેલ છે. આ પ્રમાણે બમણું બમણું પ્રમાણવાળા દ્વીપ. અને સમુદ્રો રહેલ છે જે પૈકીનાં અત્યારે છત્રીસ નામો મળી શકે છે. તદ્દન છે સ્વયંભૂરમણ સમુદ્ર છે. જે અધ રાજલોકમાં પથરાયેલ છે તે તેની પછી અલોકાકાશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249571
Book TitleJain Bhugol
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size728 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy